Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોધરા ખાતે યોજાય ભવ્ય તિરંગા યાત્રા

આ વિશાળ તિરંગાયાત્રામાં શહેરના વિવિધ સમાજના લોકો, શાળાના બાળકો, પોલીસ વિભાગના કર્મચારીઓ, વનવિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

પંચમહાલ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોધરા ખાતે યોજાય ભવ્ય તિરંગા યાત્રા
X

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અને મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણીને લઈને ગોધરા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિશાળ તિરંગાયાત્રામાં શહેરના વિવિધ સમાજના લોકો, શાળાના બાળકો, પોલીસ વિભાગના કર્મચારીઓ, વનવિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તિરંગાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને રામસાગર તળાવ ખાતે સમાપન કરવામાં આવી હતી.આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ચાલુ વર્ષે મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ બંને અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે ગોધરા શહેરમાં વિશાળ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પોલીસ મુખ્યમથક ગ્રાઉન્ડ ખાતેથી ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, ગોધરા રેન્જ ડીઆઇજી આર વી અસારી અને જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા વિશાળ તિરંગારેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.જેમાં ગોધરા શહેરનાં તમામ સમાજના લોકો, ગોધરા શહેરના તમામ ગણેશ મંડળના સભ્યો, રાજકીય પક્ષોના હોદ્દેદારો તથા કાર્યકરો, પોલીસ વિભાગના કર્મચારીઓ, વનવિભાગના કર્મચારીઓ સહિત વિવિધ શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતાં

Next Story