Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : પાવાગઢના ચાચર ચોકમાં વર્ષો જુના દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર...

10 જેટલા જેસીબી-હિટાચી મશીન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા

X

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ચાચાર ચોકની આજુબાજુના વિસ્તારમાં ઉભા થયેલા વર્ષો જુના કાચા અને પાકા દબાણોનો તંત્ર દ્વારા સફાયો બોલાવવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માચી ખાતે કેટલાક દબાણકારોને તંત્ર દ્વારા ગત તા. 5મી સપ્ટેમ્બરે નોટીસ આપવામાં આવી હતી. જે બાદ પણ દબાણ દૂર ન કરાતા જિલ્લા વહીવટી તંત્રનું બુલડોઝર ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું હતું.

યાત્રાધામ પાવાગઢના માચી ખાતે બનાવવમાં આવેલા ચાચર ચોકની આજુબાજુ વર્ષો જૂના કાચા અને પાકા દબાણોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 10 જેટલા જેસીબી-હિટાચી મશીન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા હતા. પેઢીઓથી અહીં વેપાર-ધંધો કરતા અનેક પાકા દબાણોનો પણ સફાયો કરી નાખવામાં આવ્યો હતો. આ કામગીરી દરમ્યાન હાલોલ પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story