Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : નવરાત્રીને લઈ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે દર્શનના સમયમાં કરાયો ફેરફાર...

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી આસો નવરાત્રીને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

X

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી આસો નવરાત્રીને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આસો સુદ એકમથી પૂનમ સુધી 3 દિવસ દરમ્યાન દર્શનના સમયમાં 1 કલાકનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આગમી તા. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે નવરાત્રી દરમ્યાન પાવાગઢ સ્થિત મહાકાળી મંદિર દ્વાર માઈભક્તો માટે ખુલ્લા રાખવા અંગે મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. નવરાત્રી દરમ્યાન 2 દિવસ માટે એટલે કે, એકમનું પહેલું નોરતું, અને આઠમના આઠમાં નોરતે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. નવરાત્રીના આ બન્ને દિવસોની સાથે પૂનમના દિવસે પણ નિજ મંદિરના દ્વારા સવારે 4 વાગ્યે ખુલશે, અને રાત્રિના 9 કલાક સુધી માતાજીના દર્શન કરી શકાશે, જ્યારે એકમથી પૂર્ણિમા સુધીના અન્ય દિવસો દરમિયાન મંદિરના દ્વાર સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે, અને રાત્રિના 9 ક્લાક સુધી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ગ્રહણના પડછાયા હેઠળ નવરાત્રી શરૂ થશે. ગ્રહણને શુભ માનવામાં આવતું નથી. કારણ કે, ગ્રહણના સમયે સુતક કાળ શરૂ થાય છે. આશો નવરાત્રીની શરૂઆત તા. 14મી ઓક્ટોબરે રાત્રે 11:24 કલાકે થશે, ત્યારે ગ્રહણનો સમયગાળો ચાલુ રહેશે, પરંતુ સૂર્ય ગ્રહણની અસર નવરાત્રીની પૂજા પર પડતી નથી. નવરાત્રીમાં ઘટસ્થાપનને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એટલા માટે નવરાત્રીની તારીખ શરૂ થયા પછી પણ ગ્રહણની કોઈ અસર નહીં થાય.

Next Story