પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળીના પાવન પર્વે ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યું

પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળીના પાવન પર્વ પર 1,25,000ના 27 કિ.મી. ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યું

New Update
પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળીના પાવન પર્વે ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યું

પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળીના પાવન પર્વ પર 1,25,000ના 27 કિ.મી. ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યું હતુ. વધુમાં પાટડીના ઐતિહાસીક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિર ખાતે બેસતા વર્ષથી સતત પાંચ દિવસનો ભવ્ય પૂજનોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરાયું છે. જેમાં સવા લાખ કિલો સોડમચાર સામગ્રીથી ભગવાનનું દિવ્ય પૂજન કરવામાં આવશે અને સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતુ. આ સિવાય કૃતાભિષેક, છપ્પનભોગ અન્નકૂટ, રથયાત્ર‍ા, મોક્ષસ્નાન, ભજન કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

પાટડી વિરમગામ રોડ પર આવેલા ઐતિહાસીક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં દિવાળીના પર્વ નિમીત્તે 26 ઓક્ટોબર બેસતા વર્ષના દિવસથી સતત પાંચ દિવસના પૂજનોત્સવનું ખુબ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળી પર્વે 1,25,000ના 27 કિ.મી. ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યાં છે. આ પ્રસંગે મંદિરમાં દર્શનાર્થે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટશે. સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે.

દિવાળી બાદ નૂતન વર્ષના દિવસથી ભગવાન શ્રી નિલકંઠ મહાપ્રભુનું સવા લાખ કિલો સોડમચાર સામગ્રીથી ભવ્યાતિભવ્ય રીતે દિવ્યપૂજન કરવામાં આવશે. આ સિવાય કૃતાભિષેક, છપ્પનભોગ અન્નકૂટ, રથયાત્ર‍ા, મોક્ષસ્નાન, ભજન કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઐતિહાસીક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે ચોવીસ દેવમંદિર, કાયમી પ્રદર્શન, એન્જોય પાર્ક, ભગવત પ્રસાદ અને પાંચ દિવસના ભવ્ય પૂજનોત્સવમાં સમગ્ર દેશમાંથી માનવ મહેરામણ ઉમટવાનો હોવાથી સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવાની સાથે ભક્તો અને શ્રધ્ધાળુઓને આવકારવામાં આવશે એવું મંદિરના સ્વામીએ જણાવ્યું હતુ.

- દિવાળીથી લાભ પાંચમ સુધી 5 લાખ શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટશે

- 1,25,000ના 27 કિ.મી. ઇલેક્ટ્રિક દિવડાઓની રોશની

- 500 દિવડાઓનો ઝગમગાટ

- 20,000 લોકો રથયાત્રામાં એકસાથે રથ ખેંચશે

- 25 ઉપાચાર્યો 20 મિનિટ સુધી દિવાળીની આરતી કરશે

- મંદિરમાં કાળી ચૌદશે હનુમાનજીના ભવ્ય પૂજનમાં 151 લિટર તેલથી અભિષેક

Read the Next Article

ભાવનગર : HCG હોસ્પિટલે 7.22 કરોડોનો દંડ ભર્યા વગર PMJAY યોજના ફરી શરૂ કરી દેતા વિવાદ સર્જાયો

ભાવનગર શહેરની ખાનગી HCG હોસ્પિટલને 7 કરોડ 22 લાખ 90 હજાર 205 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.અને PMJAY યોજનામાંથી પણ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

New Update
  • HCG હોસ્પિટલ સામે કાર્યવાહી

  • PMJAY યોજનામાં આચરી ગેરરીતિ

  • HCGને થયો હતો 7.22 કરોડોનો દંડ

  • PMJAY યોજનામાંથી કરાઈ હતી સસ્પેન્ડ

  • દંડ ભર્યા વગર જ યોજના શરૂ કરવામાં આવી

ભાવનગર શહેરની ખાનગીHCG હોસ્પિટલને 7 કરોડ 22 લાખ 90 હજાર 205 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.અનેPMJAY યોજનામાંથી પણ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.જોકે દંડ ભર્યા વગર જ હોસ્પિટલ દ્વારા યોજના ફરી શરૂ કરી દેવામાં આવી હોવાની માહિતી બહાર આવતા ચકચાર મચી છે.

ભાવનગર શહેરની ખાનગીHCG હોસ્પિટલને 7 કરોડ 22 લાખ 90 હજાર 205 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.અનેPMJAY યોજનામાંથી પણ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.હોસ્પિટલમાંPMJAY યોજના અંતર્ગત 2 દર્દી પાસેથી સરકારના પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ 6,000 અને 19,000 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો છે.તેમજ હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતા 39 કેસમાં અપ કોડિંગ જોવા મળ્યું હતું. આ સાથે જ હોસ્પિટલમાં ઉપલબ્ધ રેડીએશન મશીનમાં સીબીસીટી શક્ય ન હોવાથી તારીખ 11-07- 2023થી 21-05-2024 દરમિયાન હોસ્પિટલ દ્વારા મૂકવામાં આવેલા રેડિયેશનના કુલ 996 કેસમાંથી 443 કેસો કે જેના સરકાર દ્વારા પેકેજ કોડ આપવામાં આવેલા હતા,તે મશીન દ્વારા સારવાર આપી શકાય નહીં તેમ હોવાથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે કરોડો રૂપિયાનો દંડ કર્યો હતોજે દંડની રકમ પણ ભરવામાં આવી નથી અને તેમ છતાંPMJAY યોજના માત્ર ગણતરીની કલાકોમાં ફરી શરૂ કરી દેવામાં આવી છે. સરકારની યોજનામાં મોટા પાયે ગફલત થઇ હોવાની આશંકાને લઈ ભાવનગરનીHCG હોસ્પિટલ ઉપર આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જો સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે તો અન્ય પણ મોટા કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.