Connect Gujarat
ગુજરાત

ઝઘડિયા તાલુકાના વિજય દર્શન યોગાશ્રમ અશા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ઝઘડિયા તાલુકાના વિજય દર્શન યોગાશ્રમ અશા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
X

લકુલીશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારિકા શારદા પીઠાધીશ્વર ના હસ્તે પ્રતીષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

ઝઘડિયા તાલુકાના વિજય દર્શન યોગાશ્રમ ખાતે લકુલીશ્વર મહાદેવ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ઉત્સાહ સભર વાતાવરણમાં યોજાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જગતગુરૂ શંકરાચાર્ય મહારાજ સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ દ્વારકા શારદાપીઠાધીશ્વર ના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. આ પ્રસંગે વિજય દર્શન યોગાશ્રમ, લાઈફ મિશન, રાજ રાજેશ્વર ધામ જાખણ, કાયાવરોહણ તીર્થ સેવા સમાજ, કૃપાલુ આશ્રમ મલાવ, લાઈફ ફાઉન્ડેશન હરિદ્વાર, કૃપાલુ સેવાશ્રમ કંજેઠા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઝઘડિયા તાલુકાના ધર્મ પ્રિય જનતા તથા આગેવાનો સાધુ સંતો મહંતો ની વિશેષ ઉપસ્થિતિ લકુલેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળી હતી.

Next Story