રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ગુજરાતની મુલાકાતે, ધરમપુર ખાતેના રાજચંદ્ર આશ્રમના કાર્યક્રમમાં આપશે હાજરી

New Update
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ગુજરાતની મુલાકાતે, ધરમપુર ખાતેના રાજચંદ્ર આશ્રમના કાર્યક્રમમાં આપશે હાજરી

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે, આજે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં દ્રૌપદી મુર્મૂ મુલાકાત આવી રહ્યાં છે. અહીં ધરમપુર ખાતેના રાજચંદ્ર આશ્રમના એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે, આ દરમિયાન રાજ સભાગૃહનું ઉદઘાટન કરશે.

દ્રૌપદી મુર્મૂ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા રાજચંદ્ર આશ્રમમાં પહોંચશે, અહીં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઉદ્ઘાટન થશે. રાજચંદ્ર મિશન આશ્રમના ગુરુજી રાકેશજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્યના 8 જિલ્લાના આદીમ જૂથના લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિ સંવાદ પણ કરશે. ખાસ વાત છે કે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ શ્રીમદ્ રાજચંદ્રની 34 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન કરશે, અને સાથે સાથે જિન મંદિરમાં પણ જશે. હાલના દિવસોમાં રાજચંદ્ર આશ્રમમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.