પોલીસ અધિકારીઓ પર મહેરબાન સરકાર 5 DYSPને આપ્યું સીધું SPનું પ્રમોશન, જુઓ બઢતીનું લીસ્ટ

લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગ દ્વારા 5 DYSPને પોતાની ફરજ પરની જગ્યાએ પ્રમોશન આપવામાં આવ્યું છે

New Update
પોલીસ અધિકારીઓ પર મહેરબાન સરકાર 5 DYSPને આપ્યું સીધું SPનું પ્રમોશન, જુઓ બઢતીનું લીસ્ટ

લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગ દ્વારા Dy.SP તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીને પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે. રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1 માં ફરજ બજાવતા પાંચ અધિકારીઓને તેઓની હાલની ફરજની જગ્યાએ પોલીસ અધિક્ષક વર્ગ-1 સંવર્ગની એક્સ કેડર જગ્યાઓ પર બઢતી આવામાં આવી છે. ત્યારે હજુ આગામી સમયમાં પોલીસ કમિશ્નર, એસપી સહિતનાં અધિકારીઓની પણ બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

જુઓ બઢતીનું લીસ્ટ:-





Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.