પંજાબ પોલીસના દાહોદમાં ધામા, પંજાબમાંથી ચોરી થયેલ દાગીના-રોકડ રિકવર કર્યા

પંજાબ ખાતેના એક ઘરમાંથી 4 લોકોએ ચોરીની ઘટનાને અંજામ આપી 25 તોલા સોના-ચાંદીના દાગીના અને રોકડા 2 લાખ રૂપીયાની ચોરી કરી હતી. જેમાં પંજાબની લુધિયાના પોલીસે 4 લોકોની CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી હતી.

New Update

પંજાબ ખાતે એક મકાનમાંથી 25 તોલા દાગીના અને રૂ. 2 લાખની થયેલી ચોરી મામલે પંજાબ પોલીસે દાહોદમાં ધામા નાખ્યા હતા. જેમાં દાહોદના 2 શખ્સોના મકાનમાંથી તમામ મુદ્દામાલ પંજાબ પોલીસે રિકવર કર્યો હતો.

દાહોદમાં 2 દિવસ અગાઉ NIAની ટીમ દ્વારા ખાલિસ્તાની આંતકી સાથેના સંબધોને લઈને 2 યુવકોની પુછપરછ કર્યા બાદ એક શખ્સને ઝડપી લેવાયાની માહિતી મળી હતીજ્યારે 2 દિવસ બાદ પંજાબ પોલીસના ધામા દાહોદમાં જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જેમાં પંજાબ ખાતેના એક ઘરમાંથી 4 લોકોએ ચોરીની ઘટનાને અંજામ આપી 25 તોલા સોના-ચાંદીના દાગીના અને રોકડા 2 લાખ રૂપીયાની ચોરી કરી હતી. જેમાં પંજાબની લુધિયાના પોલીસે 4 લોકોની CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી હતી.

જેમાંથી 2 લોકો મધ્યપ્રદેશના રહેવાસી હતાઅને 2 ઈસમો ગુજરાતના દાહોદના રહેવાસી હતા. જોકેચોરીની ઘટનાને અંજામ આપ્યા દાહોદના 2 યુવકો ચોરી કરેલો માલ દાહોદ ખાતે રહેતા તેમના ઘરે મુકી ગયા હતાઅને તે બાદ પોલીસના હાથે તેઓ લુધિયાના ખાતેથી ઝડપાય ગયા હતાજ્યારે રિમાન્ડ હેઠળ રહેલા દાહોદના 2 લોકોમાંથી એક ઈસમને પંજાબ પોલીસ દાહોદ લાવી દાહોદની બી’ ડિવિઝન પોલીસને સાથે રાખી ચોરીનો મુદ્દામાલ રીકવર કર્યો હતો.

જેમાંથી પંજાબ અને દાહોદ પોલીસને 25 તોલા સોનુ રીકવર કરવામાં સફળતા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેચોરીની ઘટનાને અંજામ આપનાર સન્ની ઉર્ફે સન્ની દેઓલ અને સહેનશા સિંઘ બન્ને દાહોદના રહેવાસી તેમજ રામસિંઘ પંજાબી અને તેનો એક સાગરીત મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છેત્યારે હાલ તો પંજાબ પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.