Connect Gujarat
ગુજરાત

રાજકોટ-જામનગર હાઇવે બન્યો રક્તરંજીત, ફોર્ચ્યુનર કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતાં 25 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મોત....

રાજકોટ-જામનગર હાઇવે બન્યો રક્તરંજીત, ફોર્ચ્યુનર કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતાં 25 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મોત....
X

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નોકઆઉટ ગેમઝોનના સંચાલક પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.25) ગઈકાલે રાત્રિના પડધરીના તરઘડી પાસેથી રાજકોટ તરફ આવતા હતા. દરમિયાન માર્ગ અકસ્માતમાં તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.


પુષ્પરાજસિંહ જાડેજા પોતાની ફોર્ચ્યુનર કાર લઈ આવતા હતા દરમિયાન ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતા કારનો આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પડધરી પોલીસ સ્ટાફ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પડધરી હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પુષ્પરાજસિંહ જાડેજા રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ નોકઆઉટ ગેમઝોનના સંચાલક છે. મોડીરાત્રિના પોતાની જીજે.22.પી.77 નંબરની સફેદ કલરની ફોર્ચ્યુનર લઈને જતા દરમિયાન જામનગર રોડ પર ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ટ્રકના ચાલકે ટ્રક ઊભો ન રાખતા ટ્રકની સાથે કાર ઢસડાઇ હોવાનું સામે આવ્યું છે.

Next Story