રાજકોટ-જામનગર હાઇવે બન્યો રક્તરંજીત, ફોર્ચ્યુનર કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતાં 25 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મોત....

New Update
રાજકોટ-જામનગર હાઇવે બન્યો રક્તરંજીત, ફોર્ચ્યુનર કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતાં 25 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મોત....

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નોકઆઉટ ગેમઝોનના સંચાલક પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.25) ગઈકાલે રાત્રિના પડધરીના તરઘડી પાસેથી રાજકોટ તરફ આવતા હતા. દરમિયાન માર્ગ અકસ્માતમાં તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.


પુષ્પરાજસિંહ જાડેજા પોતાની ફોર્ચ્યુનર કાર લઈ આવતા હતા દરમિયાન ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતા કારનો આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પડધરી પોલીસ સ્ટાફ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પડધરી હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પુષ્પરાજસિંહ જાડેજા રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ નોકઆઉટ ગેમઝોનના સંચાલક છે. મોડીરાત્રિના પોતાની જીજે.22.પી.77 નંબરની સફેદ કલરની ફોર્ચ્યુનર લઈને જતા દરમિયાન જામનગર રોડ પર ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ટ્રકના ચાલકે ટ્રક ઊભો ન રાખતા ટ્રકની સાથે કાર ઢસડાઇ હોવાનું સામે આવ્યું છે.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.