ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી, ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોઁધાયા

New Update
ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી, ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોઁધાયા

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોઁધાયા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે. બન્ને ગૃહિણીઓએ વેક્સીનના બે ડોઝ લીધા છે. એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે હાલ બંન્ને મહિલાઓને કરાઈ હોમ આઈસોલેટ કરવામાં આવી છે.

ભારતમાં કોરોનાના નવા વેરીએન્ટ તથા કેરળ અને ઉતરપ્રદેશમાં પાંચના મોત બાદ હવે ચિંતા વધવા લાગી છે તે સમયે વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચઓના ટેકનીકલ લીડે પણ શ્વાસ સંબંધી બિમારીઓ પર એલર્ટ આપ્યુ છે તથા કોરોનાના નવા વેરીઅન્ટ અંગે પણ વિશ્વના દેશોને એલર્ટ કર્યા છે તથા તકેદારી વધારવા માટે પણ સલાહ આપી છે.આ માટે સોશિયલ મીડીયા પર એક વીડિયો અપલોડ કરીને તેમણે આ પ્રકારની બિમારી ફેલાવા માટેના કારણ પણ દર્શાવ્યા હતા.

#Gujarat #India #ConnectGujarat #Gandhinagar #Corona #Re-entry
Latest Stories
Read the Next Article

ભરૂચ: ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજ...

ભરૂચ: ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ગરુડ સેના દ્વારા કાર્યક્રમ યોજાયો

  • રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • સંસ્થાના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં કાર્યકરત ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી