વાંચો ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રી મંડળમાં કોને કોને સ્થાન મળ્યું..?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળ માટે શપથ લઈ લીધા છે. આ વખતે સૌની નજર એ વાત પણ ટકી હતી કે મંત્રીમંડળમાં કોને સામેલ કરશે? અને એમાંથી ગુજરાતના મંત્રીઓ કેટલા હશે? મોદીના બીજા કાર્યકાળમાં ગુજરાતમાંથી 7 મંત્રી હતા

New Update
ગુજરાત

ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળ માટે શપથ લઈ લીધા છે. આ વખતે સૌની નજર એ વાત પણ ટકી હતી કે મંત્રીમંડળમાં કોને સામેલ કરશે? અને એમાંથી ગુજરાતના મંત્રીઓ કેટલા હશે? મોદીના બીજા કાર્યકાળમાં ગુજરાતમાંથી 7 મંત્રી હતા. જે સંખ્યા આ વખતે ઘટીને 6 થઈ ગઈ છે. જેમાં ગુજરાતના પણ દિગ્ગજ નેતાઓની સાથે જ નવા ચહેરાઓને પણ સ્થાન મળી ગયું. જેમાંથી એક એવું નામ છે ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા નિમુબેન સહિત સીઆર પાટિલ, મનસુખ માંડવીયા,એસ જયશંકર,અમિત શાહ,જેપી નડાને મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રીમાં સ્થાન મળ્યું છે. 

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ વિધિ યોજાઇ હતી જેમાં મોદી સહિત 72 મંત્રીઓએ શપથ લીધા તમામ મંત્રીઓને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુંએ શપથ લેવડાવ્યા હતા શપથ ગ્રહણ સમારોહમાં બૉલીવુડના સિતારાઓ બીજનેસ મેં સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાજુર્ન ખડગેએ પણ હાજરી આપી હતી

Read the Next Article

અમરેલી : ધારીના પ્રેમપરામાં પ્રોહિબિશન અને પાસાના આરોપીએ કરેલા દબાણ પર તંત્રે ચલાવ્યું બુલડોઝર

ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે છે.જે અંતર્ગત અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પ્રેમપરા વિસ્તારમાં પણ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી

New Update
  • ધારીમાં તંત્રની અસામાજિક તત્વો સામે કાર્યવાહી

  • પ્રેમપરામાં ગેરકાયદેસર મિલકત પર ચાલ્યું બુલડોઝર

  • પ્રીહિબીશન અને પાસાના આરોપીનું મકાન તોડી પાડ્યું

  • સરકારી જગ્યામાં બાંધકામ કરીને કર્યું હતું દબાણ

  • પોલીસ બંદોબસ્ત સાથે ધાર્મિક દબાણ પણ કરાયું દૂર

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં પ્રોહિબિશન અને પાસાના આરોપી દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને તંત્ર દ્વારા બુલ્ડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું,જેના કારણે અસામાજિક તત્વો અને દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે છે.જે અંતર્ગત અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પ્રેમપરા વિસ્તારમાં પણ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં માવજી પુના વાઘેલા કે જે પ્રોહિબિશન અને પાસાનો આરોપી છે,તેના દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું,જે મકાનને તંત્ર દ્વારા જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું.આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લેન પરા વિસ્તારમાં ધાર્મિક દબાણ પણ તોડીને દૂર કરવામાં આવ્યું હતું.તંત્રની કાર્યવાહીના પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Latest Stories