Connect Gujarat
ગુજરાત

મોંઘવારીથી સામાન્ય જનતાબે રાહત, ખાદ્યતેલના ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો!

મોંઘવારીથી સામાન્ય જનતાબે રાહત, ખાદ્યતેલના ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો!
X

મગફળીનો નવો પાક આવવાની ખાદ્યતેલના ભાવ ઘટ્યા હતા. મગફળીની બમ્પર આવક થતા સિંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. રાજકોટમાં તેલ બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા વીસ દિવસમાં કપાસિયા તેલના ડબ્બે 200 રૂપિયા જ્યારે સિંગતેલમાં ડબ્બે 100 રૂપિયાનો ઘટાડો થયો છે. તેલ બજારમાં અને યાર્ડોમાં મગફળીની આવકોમાં વધારો હતો. પણ હાલમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સિંગતેલમાં કોઈ ફેરફાર હતો અને નહીં ભાવ સ્થિર રહ્યા હતા.

હાલમાં અન્ય તેલની કિંમતો પણ કોઈ ખાસ ફેરફાર થયો નથી. સિંગતેલના 15 કિલોના 2600થી 2650 તો સિંગતેલ લેબલ નવા 2410થી 2460 છે. કપાસિયાના 15 કિલોના 2085થી 2135 થયા છે. જ્યારે પામોલીનના 1530થી 1535, સનફ્લાવરના 2150થી 2230, મકાઈ તેલના 1970થી 2040, સરસીયુ તેલના 2270થી 2290નો ભાવ રહ્યો હતો. તેમજ વનસ્પતિના 1500થી 1610, કોપરેલના 2410થી 2460 અને દિવેલના 2490થી 2520ના ભાવો હતા.

Next Story