સાબરકાંઠા : એક જ પરિવારના 10 લોકોની કુવૈતમાં અટકાયત, પરિવારે મોદી સરકારને કરી વિનંતી.

કુવૈતમાં ભીષણ આગની ઘટના બાદ તપસ હાથ ધરાઇ હતી જેમાં સાબરકાંઠાના એક જ પરિવારના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરવામાં આવી છે

New Update

 

કુવૈતમાં ભીષણ આગની ઘટના બાદ તપસ હાથ ધરાઇ હતી જેમાં સાબરકાંઠાના એક જ પરિવારના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરવામાં આવી છે જેને લઈ પરિવારે મોદી સરકારને સંબંધીઓને સુરક્ષિત પાછા લાવવા વિનંતી કરી હતી.

12 જૂનના રોજ વહેલી સવારે કુવૈતમાં 6 માળની ઈમારતમાં લાગેલી આગમાં કુલ 50 લોકોના મોત થયા હતાજેમાં 45 ભારતીય હતા. આ બિલ્ડિંગમાં 196 શ્રમીકો રહેતા હતાજેમાંથી મોટાભાગના ભારતીય હતા જે આગની ઘટના બાદ તપાસ હાથ ધરાઇ છેત્યારે કુવૈતમાં 10 ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. આ ગુજરાતીઓની ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે આ અટકાયત કરાયેલા ગુજરાતીઓ સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. કુવૈતમાં ભીષણ આગની ઘટના બાદ તપાસ હાથ ધરાઇ છેત્યારે કુવૈતમાં 10 ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. આ ગુજરાતીઓની ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે આ અટકાયત કરાયેલા ગુજરાતીઓ સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કુવૈતમાં દઢવાવના કલાલ પરિવારના સભ્યોની અટકાયત કરાઇ છે. અટકાયત કરાયેલા ગુજરાતીઓને છોડાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કેઆ લોકો ગેરકાયદેસર ત્યાં હોવાના આરોપ સાથે અટકાયત કરવામાં આવી છે. કુવૈતમાં જે આગ લાગી હતી અને જેમાં અનેક ભારતીય લોકોના મોત થયા હતાતે બાદ તપાસ કરતા અલગ-અલગ જગ્યાએથી આ 10 લોકો મળી આવ્યા હતા. આ લોકોની અટકાયત કરતાં ઇન્ડિયન એમ્બેસી અને ત્યાંની એમ્બેસી સાથે વાતચીત ચાલી રહી છે. જ્યારે તેમને ટૂંક સમયમાં પરત ભારત લવાશે. જોકેઆ સમાચાર મળતાં પરિવારમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

Read the Next Article

ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય, વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો,

New Update
vrd bh

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું. 

રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8,500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.