સાબરકાંઠા : એક જ પરિવારના 10 લોકોની કુવૈતમાં અટકાયત, પરિવારે મોદી સરકારને કરી વિનંતી.

કુવૈતમાં ભીષણ આગની ઘટના બાદ તપસ હાથ ધરાઇ હતી જેમાં સાબરકાંઠાના એક જ પરિવારના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરવામાં આવી છે

New Update

કુવૈતમાં ભીષણ આગની ઘટના બાદ તપસ હાથ ધરાઇ હતી જેમાં સાબરકાંઠાના એક જ પરિવારના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરવામાં આવી છે જેને લઈ પરિવારે મોદી સરકારને સંબંધીઓને સુરક્ષિત પાછા લાવવા વિનંતી કરી હતી.

12 જૂનના રોજ વહેલી સવારે કુવૈતમાં 6 માળની ઈમારતમાં લાગેલી આગમાં કુલ 50 લોકોના મોત થયા હતાજેમાં 45 ભારતીય હતા. આ બિલ્ડિંગમાં 196 શ્રમીકો રહેતા હતાજેમાંથી મોટાભાગના ભારતીય હતા જે આગની ઘટના બાદ તપાસ હાથ ધરાઇ છેત્યારે કુવૈતમાં 10 ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. આ ગુજરાતીઓની ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે આ અટકાયત કરાયેલા ગુજરાતીઓ સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. કુવૈતમાં ભીષણ આગની ઘટના બાદ તપાસ હાથ ધરાઇ છેત્યારે કુવૈતમાં 10 ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. આ ગુજરાતીઓની ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે આ અટકાયત કરાયેલા ગુજરાતીઓ સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કુવૈતમાં દઢવાવના કલાલ પરિવારના સભ્યોની અટકાયત કરાઇ છે. અટકાયત કરાયેલા ગુજરાતીઓને છોડાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કેઆ લોકો ગેરકાયદેસર ત્યાં હોવાના આરોપ સાથે અટકાયત કરવામાં આવી છે. કુવૈતમાં જે આગ લાગી હતી અને જેમાં અનેક ભારતીય લોકોના મોત થયા હતાતે બાદ તપાસ કરતા અલગ-અલગ જગ્યાએથી આ 10 લોકો મળી આવ્યા હતા. આ લોકોની અટકાયત કરતાં ઇન્ડિયન એમ્બેસી અને ત્યાંની એમ્બેસી સાથે વાતચીત ચાલી રહી છે. જ્યારે તેમને ટૂંક સમયમાં પરત ભારત લવાશે. જોકેઆ સમાચાર મળતાં પરિવારમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.