Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના એક વર્ષ પૂર્ણ થતાં પુંસરી ગામે મેડિકલ કેમ્પ યોજાયો...

તલોદ તાલુકાના પુંસરી ગામના રામરોટી અન્નક્ષેત્ર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે

X

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના રામરોટી અન્નક્ષેત્ર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટને એક વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

સાબરકાંઠા જિલ્લાના તલોદના પુંસરી ગામે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે દીપપ્રાગટ્ય કરી મેડિકલ સારવાર કેમ્પને ખુલ્લો મુક્યો હતો. આ મેડિકલ કેમ્પમાં વિવિધ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ હાજર રહી સેવા આપી હતી. આ પ્રસંગે મંત્રીએ ગામના અગ્રણી અને પૂર્વ સરપંચ નરેન્દ્ર પટેલના વખાણ કરતા જણાવ્યું હતું કે, તેમના અને તેમના મિત્રોના સહયોગથી ચાલતા આ ચેરીટેબલ ટ્રસ્ટ થકી અનેક લોકોને ભોજન તેમ સારવાર મળી રહે છે, જે ખરેખર સરાહનીય બાબત છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ બાળકના જન્મથી લઈ શિક્ષણ આરોગ્ય તેમજ તેની રોજગારી અને વૃદ્ધાવસ્થા સુધીની ચિંતા કરી છે, જે થકી આજે ગુજરાતમાં 3 કરોડથી વધુ લોકોને મફત અનાજ આપવા આવી રહ્યું છે. આ પ્રસંગે તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી હતી. મંત્રી અને ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા મેડિકલ કેમ્પનું નિરીક્ષણ કરી ગામમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી. આ મેડિકલ કેમ્પની સાથે પશુ સારવાર કેમ્પ અને સગર્ભા માતાઓને સુખડી વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ ચેર પર્સન રેખાબા ઝાલા, અગ્રણી સિદ્ધાર્થ પટેલ સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો, ગામના પૂર્વ સરપંચ અને સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર પટેલ, પૂર્વ સરપંચ હિમાંશુ પટેલ સહિત તબીબો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story