સાબરકાંઠા: રંગ બદલતો દુર્લભ પ્રજાતિનો કાચિંડો નજરે પડતા કુતુહલ,જુઓ શું છે વિશેષતા

સાબરકાંઠાના જિલ્લામાં ગાંભોઈ પંથકમાં શરીરનો રંગ બદલતો 'જેક્શન કેમેલિયન' જાતિનો જંગલી કાચિંડો દેખાયો શરીરના આવરણને ભૂરા, લાલ, પોપટી અને પીળા રંગમાં બદલી શકે છે.

New Update
સમાચાર

કાચિંડો

સાબરકાંઠા પંથકમાં કાચિંડો નજરે પડ્યો
દુર્લભ પ્રજાતિનો કાચિંડો જોવા મળ્યો
જેક્શન કેમેલીયન પ્રજાતિનો કાચિંડો
લોકોમાં સર્જાયું ભારે કુતુહલ
રંગ બદલતા કાચિંડા તરીકે વિખ્યાત
સાબરકાંઠાના જિલ્લામાં ગાંભોઈ પંથકમાં શરીરનો રંગ બદલતો 'જેક્શન કેમેલિયન' જાતિનો જંગલી કાચિંડો દેખાયો શરીરના આવરણને ભૂરા, લાલ, પોપટી અને પીળા રંગમાં બદલી શકે છે.
કાચીડાંની જેમ રંગ બદલતા રાજકારણ અને માનવીય સ્વભાવ પર કાચીંડાની કહેવતો અવારનવાર પ્રજાના મુખે સાંભળવા મળી છે પરંતુ આ કહેવતને સાર્થક કરતો અને ભાગ્યે જ દેખા દેતો જેને આપણે અંગ્રેજીમાં જેક્શન કેમેલિયન, હિન્દીમાં ગીરગીટ અને ગુજરાતીમાં રંગ બદલતો કાચીંડો કહીએ છીએ. જે કચ્છના ચિકારા અભયારણ્યમાં ખાસ જોવા મળે છે. જે નષ્ટ પ્રાયઃ જાતિએામાં સમાવિષ્ટ છે. આ 'જેક્શન કેમેલિયન' પ્રજાતિનો રંગ બદલતો કાચીંડો હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના ગ્રામ્ય જંગલ સીમાડામાં દેખાતાં ગ્રામ્ય પ્રજામાં ભારે કુતૂહલ ફેલાયું હતું. ગાંધીપુરાકંપા ગામના ખેડૂત ભરતભાઈ પટેલ પોતાના ખેતર પાસેના જંગલ વિસ્તારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે જવલ્લે જોવા મળતો લીલા રંગનો જંગલી કાચીંડો નજરે પડ્યો હતો. આ અંગે જીવદયા પ્રેમી ભરત પટેલે વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દેખાતા સામાન્ય કાચીંડાંથી અલગ વિશિષ્ટતા ધરાવતો આ જંગલી કાચિંડો જેકસન કેમેલિયન તરીકે ઓળખાય છે. જે શરીર આવરણના રંગ બદલવાની સાથે માથા પર ત્રણ નાના શીંગડા જોવા મળે છે. ખાસ કરીને ડુંગરોના ગાઢ જંગલોમાં ઝાડની ટોચની ડાળી પર પૂંછડી લપેટીને ઉંધા માથે લટકતો જોવા મળે છે. 
Read the Next Article

અંકલેશ્વર : શહેરના માર્ગો ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,નગરપાલિકાની સામે રોષ ઠાલવતા નગરજનો

અંકલેશ્વર શહેરમાં રસ્તા ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અને નગરપાલિકા યોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.

New Update
  • બિસ્માર રસ્તાથી નગરજનો પરેશાન

  • રસ્તા ખખડધજ બનતા વાહન ચાલકોમાં રોષ

  • ખાડા પુરવામાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ

  • નગરજનોને સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ

  • ગણેશોત્સવ પહેલા સારા રસ્તાની ઉઠી માંગ

અંકલેશ્વર શહેરમાં રસ્તા ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અને નગરપાલિકા યોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વરમાં વરસાદ વરસ્યા બાદ રસ્તાઓ ખખડધજ બની ગયા છે.જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.શહેરમાં સ્ટેશન રોડથી ભરૂચીનાક સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે.રોડ પરથી પસાર થતા વાહનચાલકો સારા રસ્તા માટેની માંગ કરી રહ્યા છે.જે વિસ્તારમાં રોડ પરના ખાડા પૂરવામાં આવ્યા હતા,ત્યાં ફરીથી ખાડા પડી ગયા હોવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે. નગરપાલિકાનું તંત્ર નગરજનોને સારી સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે.   

અંકલેશ્વરમાં રસ્તા ખખડધજ બનતા આગામી ગણેશોત્સવને લઈને તમામ રસ્તાઓ નવીનીકરણની માંગ ઉઠવા પામી છે.આ ઉપરાંત મહાવીર ટર્નિંગ પાસે નવા બનાવેલા રોડ પર પણ ખાડા પડ્યા પડી જતા વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા ગુણવત્તાયુકત રસ્તા બનાવવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.