સાબરકાંઠા: ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 7 મહિનાની બાળકી સહિત 4નાં મોત

સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રિના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

New Update

સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સામે આવ્યો હતો જેમાં 1 બાળકી સહિત 4 ના કરૂણ મોત નિપજ્યાં હતા અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા

સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રિના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી કારમાં નેત્રામલી જતા પરિવારને ડાઈવર્ઝન કટ પર ઇડરથી હિંમતનગર તરફ પૂરઝડપે જતા ડમ્પરે અડફેટે લીધા હતા. જેમાં એક બાળકી સહિત ચારના મોત નીપજ્યા હતાજયારે બે બાળકી સહિત ચારને ઈજાઓ થતા સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે જાદર પોલીસને જાણ થતા ઘટનાસ્થળ બાદ હિંમતનગર સિવિલમાં પહોંચીને પોસ્ટમોર્ટમ અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માત અંગે108 અને જાદર પોલીસને જાણ થતા રાત્રિના સમયે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે રોડ પરથી વાહનો હટાવીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. બીજી તરફ પોલીસે સ્થળ બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચીને પોસ્ટમોર્ટમ અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ

રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયુ છે નિર્માણ

  • રૂ.75 લાખના ખર્ચે આઇકોનીક રોડનું નિર્માણ

  • રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લખાયો પત્ર

  • કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવા માંગ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી કોન્ટ્રાક્ટરનું બાકીનું પેમેન્ટ સ્ટોપ કરવાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથ રોડ એટલે કે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધુરી હોવા છતાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં આવ્યા નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ મોટાભાગની લાઈટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈપણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ના કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓ તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.