Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : તલોદના દેસાઈનગર નજીક તળાવમાંથી ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર...

સાબરકાંઠા : તલોદના દેસાઈનગર નજીક તળાવમાંથી ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર...
X

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહિયલ ગામના 6 વર્ષીય જૈમિન ભાવેશભાઈ દરજી છેલ્લા 2 દિવસથી ગુમ થયો હતો. આ બાબતે તલોદ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

સમગ્ર મામલે પોલીસ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, ત્યારે તલોદની દેસાઈનગર સોસાયટી નજીક મહાદેવ મંદિર પાસે આવેલા તળાવમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા. ત્યારબાદ ફાયર ફાઇટરો દ્વારા બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાડ પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તલોદ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. 6 વર્ષીય બાળકના ગુમ થયા બાદ મોતના પગલે દરજી સમાજમાં શોકનો માહોલ સર્જાયો હતો.

Next Story