સુરત: બોરસરા સામુહિક દુષ્કર્મ કેસમાં ફરાર ત્રીજો આરોપી ભાગી જાય ત્યાર પહેલા અમદાવાદથી પોલીસે કરી ધરપકડ

સુરતના બોરસરા ગામની સીમમાં બનેલ સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે ફરાર ત્રીજા આરોપીને પણ દબોચી લીધો હતો,આરોપી ગુજરાત છોડીને ભાગી જાય તે અગાઉ

New Update
સુરત સામૂહિક દુષ્કર્મનો મામલો 
પોલીસે કરી ફરાર ત્રીજા આરોપીની ધરપકડ 
ગુજરાત છોડીને ભાગવાની ફિરાકમાં હતો આરોપી 
અમદાવાદ ખાતેથી પોલીસે કરી આરોપીની ધરપકડ 
દુષ્કર્મના પરપ્રાંતીય આરોપી છે રીઢા ગુનેગાર 
સુરતના બોરસરા ગામની સીમમાં બનેલ સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે ફરાર ત્રીજા આરોપીને પણ દબોચી લીધો હતો,આરોપી ગુજરાત છોડીને ભાગી જાય તે અગાઉ પોલીસે અમદાવાદ થી તેની ધરપકડ કરી હતી.આ ઘટનામાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી,જેમાં એક આરોપીને હૃદય રોગની તકલીફ થતા તેનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
દુષ્કર્મના આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓ ગંભીર ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસ દ્વારા રાત્રે આરોપી રાજુ વિશ્વકર્માની ગુજરાત છોડીને ભાગી જાય તે અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ રાજુ વિશ્વકર્મા સામે વિશાખાપટ્ટનમ, રાજસ્થાન ,આંધ્રપ્રદેશમાં 9 ગુના નોંધાયા છે.જ્યારે રાજસ્થાનમાં ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયા છે.આરોપીને પોલીસ દ્વારા શનિવારના રોજ કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.