સુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું ભારે આકર્ષણ…
વરાછા વિસ્તારમાં 8 વર્ષ અગાઉ સ્થપાયેલા મંદિર દ્વારા પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
વરાછામાં નીકળી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
યુક્રેનથી આવેલા 10થી વધુ વિદેશીઓએ પણ ભાગ લીધો
યુક્રેનમાં શાંતિ સ્થપાય તે માટે જગન્નાથજીને પ્રાર્થના કરી
સુરત શહેરના વરાછા વિસ્તારમાં 8 વર્ષ અગાઉ સ્થપાયેલા મંદિર દ્વારા પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અષાઢી બીજના પાવન અવસરે યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં દેશી અને વિદેશી શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
એટલું જ નહીં, યુક્રેનથી આવેલા 10થી વધુ વિદેશીઓએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે વિદેશીઓ પણ ઢોલ નગરાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. 2 વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથજીની નીકળેલી રથયાત્રાનો અદભૂત નજારો જોઈ સૌકોઈ ભાવ વિભોર થઈ ઉઠ્યા હતા. યુક્રેનવાસીઓએ જણાવ્યુ હતું કે, અમારા દેશમાં હાલ યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ યુદ્ધ ઝડપથી પૂર્ણ થાય તે માટે અમે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ.