સુરેન્દ્રનગર : પ્રેમ સંબંધમાં સમાધાન માટે ગયેલા પક્ષ પર 4 યુવકોનો હુમલો, ચપ્પુ વાગી જતાં યુવતીના મામાનું મોત...
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક હત્યાનો બનાવ બન્યો
પ્રેમ સંબંધમાં દીકરી પક્ષ ગયો હતો સમાધાન કરવા
4 શખ્સોએ ચપ્પુ મારી દેતા યુવતીના મામાનું મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે, ત્યારે હત્યાના બનાવો પણ સતત વધતાં જઈ રહ્યા છે. તેવામાં સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નજીક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં પ્રેમ સંબધમાં સમાધાન માટે ગયેલા દીકરી પક્ષના લોકો પર સામે પક્ષના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે શહેરના નુરે મહંમદ સોસાયટીમાં વસવાટ કરતા એક વ્યક્તિની દીકરી સાથે બસ સ્ટેન્ડ નજીક વસવાટ કરતા યુવકને પ્રેમ થઇ ગયો હતો. આ યુવક સાથે દીકરી પક્ષના લોકો સમાધાન કરવા જતા યુવક અને તેના મિત્રો દ્વારા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે ચાર શખ્સોએ દીકરીના મામાને છરીના ધારદાર ઘા મારી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા, ત્યારે જાહેરમાં હત્યાનો બનાવ બનતા પોલીસે 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.