સુરેન્દ્રનગર: નવલગઢમાંથી પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં આકસ્મિક રીતે બાઈક સવાર ડૂબ્યો
BY Connect Gujarat Desk19 Feb 2024 4:43 AM GMT
X
Connect Gujarat Desk19 Feb 2024 4:43 AM GMT
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે રાત્રીના 9 વાગ્યાં આસપાસ એક બાઈક સવાર યુવક કેનાલના રસ્તે પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો તેં દરમિયાન આકસ્મિક રીતે બાઈક સ્લીપ ખાતા કેનાલમાં ખાબક્યું હતું. આજુબાજુનાં વાહન ચાલકોએ તત્કાલ નવલગઢ ગામજનો અને ધ્રાંગધ્રા ફાયર ટીમને જાણ કરી હતી જેના પગલે નવલગઢ ગામના આગેવાનો તત્કાલ ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોડમાં લાગી ગયા હતા.
ધ્રાંગધ્રા ફાયર સ્ટેશનનાં તરવૈયા દ્રારા ઘટના સ્થળે પહોંચી કેનાલમાં ડૂબી જનાર નવલગઢ ગામના જીગ્નેશ નામના યુવકનું બાઈક શોધી કાઢ્યું હતું પણ લાંબા પ્રયત્નો છતાંય યુવકની ડેડબોડી મોડી રાત્રી સુધી શોધી શકાઈ નહોતી. આ તકે ટીકર અને પાટડીના તરવૈયાઓ પણ બોડીને શોધવા નવલગઢ કેનાલે પહોંચ્યા હોવાની પ્રાથમિક વિગતો છે
Next Story