સુરેન્દ્રનગર લીંબડી ખાતે હંસ ધ્વનિ સંગીત કાર્યક્રમનું આયોજન

સુપ્રસિદ્ધ લોક ગાયક, ગઝલ અને સુફી કલાકાર બીરજુ બારોટ અને જયદેવ ગોસાઈએ પોતાની આગવી ગાયકીથી લોકોના મન જીતી લીધા હતા. ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

New Update

સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવેલા મોટા મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી અને હંસધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા હંસ ધ્વનિ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. સુરેન્દ્રનગરના  લીંબડી શહેર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકડમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા હંસ ધ્વનિ સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. સુપ્રસિદ્ધ લોક ગાયક, ગઝલ અને સુફી કલાકાર બીરજુ બારોટ અને જયદેવ ગોસાઈએ પોતાની આગવી ગાયકીથી લોકોના મન જીતી લીધા હતા. હંસ ધ્વનિ સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં તબલા વાદક અને હાર્મોનિયમ સંગત ક્લાનું એક અલગ કૌશલ્ય જોવા મળ્યું હતું.આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં આઈ માં કંકુકેસર માની હાજરીથી સૌને રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન શ્રી સૌરાષ્ટ્ર નિમ્બારક પીઠ મંદિરના મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી મહારાજ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.