Connect Gujarat
ગુજરાત

ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંઘ સોમનાથ મહાદેવના શરણે

ગુરમીત સિંઘ સોમનાથ મહાદેવના પુષ્પ દર્શન શૃંગારના દર્શન કરી ધન્ય બન્યા હતા. તેઓએ સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી નો થાળ અર્પણ કર્યો હતો

ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંઘ સોમનાથ મહાદેવના શરણે
X

ઉત્તરાખંડ રાજ્યના મહામહિમ રાજ્યપાલ ગુરમીતસિંઘ ગુજરાત પ્રવાસ પર હોય ત્યારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર સાહેબ દ્વારા રુદ્રાક્ષ માળા પહેરાવી તેઓશ્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

ગુરમીત સિંઘ સોમનાથ મહાદેવના પુષ્પ દર્શન શૃંગારના દર્શન કરી ધન્ય બન્યા હતા. તેઓએ સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી નો થાળ અર્પણ કર્યો હતો તેમજ સોમનાથ મહાદેવ પર જળાભિષેક કર્યો હતો. આ તકે તેઓને શ્રી સોમનાથ મંદિરના પૂજારી દ્વારા સોમનાથ મહાદેવની વિશેષ સોમેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી.

તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર દ્વારા શાલ ઓઢાડીને તેમજ સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર, અને પ્રસાદ અર્પણ કરીને તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત દક્ષિણધ્રુવ બાણ સ્તંભના દર્શન કર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર દ્વારા તેઓને સોમનાથ તીર્થના ઈતિહાસ અને સ્થાપત્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Next Story