Connect Gujarat
ગુજરાત

તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ, હવે આ તારીખે લેવાશે પરીક્ષા
X

તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તલાટીની પરીક્ષા માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તલાટીની જે પરીક્ષા 30મી એપ્રિલના રોજ લેવામાં આવનાર હતી તે હવે 7મી મેના રોજ લેવાશે. આ અંગે વધુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે, તલાટીની પરીક્ષામાં સંસાધનો બિન જરૂરી વેડફાય નહિ તેવો નિર્ણય કર્યો છે. તલાટીની પરીક્ષા પહેલા કન્ફેર્મેશન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇન્ફર્મેશન નહિ આપનાર ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં નહિ આવે.

Next Story