Connect Gujarat
ગુજરાત

“તેલુગુ ભાષા દિવસ” : શા માટે તેલુગુ ભાષા દિવસ માત્ર 29 ઓગષ્ટે જ ઉજવાય છે, વાંચો રસપ્રદ વાત...

“તેલુગુ ભાષા દિવસ” : શા માટે તેલુગુ ભાષા દિવસ માત્ર 29 ઓગષ્ટે જ ઉજવાય છે, વાંચો રસપ્રદ વાત...
X

તેલુગુ કવિ ગિડુગુ વેંકટા રામામૂર્તિની જન્મજયંતિની યાદમાં તેલુગુ ભાષા દિવસ 29 ઓગસ્ટને દર વર્ષે તેલુગુ ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગિડુગુ વેંકટ રામામૂર્તિની 160મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, તેલુગુ ભાષા આપણા દેશની 22 માન્ય ભાષાઓમાંથી એક છે. આ ભાષાનો ઉપયોગ મુખ્યત્વે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થાય છે.

આપણા દેશમાં 22 ભાષાઓને માન્યતા આપવામાં આવી છે. આ ભાષાઓમાંથી એક તેલુગુ છે, જે આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં બોલાય છે. આ સિવાય તમિલનાડુ, છત્તીસગઢ અને કર્ણાટકમાં પણ આ ભાષાનો ઉપયોગ થાય છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, તેલુગુ ભાષા 8.1 લાખ લોકો બોલે છે, અને તે દેશમાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. તમને જણાવી દઈએ કે, આ ભાષાના સન્માન માટે દર વર્ષે 29 ઓગસ્ટને તેલુગુ ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આ રાજ્યોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, અને લોકોને આ ભાષાના મહત્વ વિશે જણાવવામાં આવે છે. તેલુગુ કવિ ગિડુગુ વેંકટા રામામૂર્તિની જન્મજયંતિ 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. તેલુગુ ભાષામાં તેમના દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્યને માન આપવા અને તેમની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને, આ દિવસ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે કવિ ગિડુગુ વેંકટ રામામૂર્તિની 160મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. નિકોલો ડી કોન્ટી, વેનેટીયન સંશોધક, 16મી સદીમાં વિજયનગર રાજ્યની મુલાકાતે ગયા હતા. તે સમયે તેમને ભારતની તેલુગુ ભાષાના શબ્દો અને ઈટાલિયન ભાષાના શબ્દો વચ્ચે થોડીક સામ્યતા જોવા મળી હતી. આ પછી તેણે તેલુગુ ભાષાને ધ ઈટાલિયન ઓફ ધ ઈસ્ટ નામ આપ્યું જેના પછી તેને આ નામથી પણ ઓળખવામાં આવે છે.

Next Story