/connect-gujarat/media/media_files/2025/04/24/AAWXyQLZah9USjwQDCXj.jpg)
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતી મૃતકોના મૃતદેહો ગુજરાત લાવવામાં આવ્યા હતા. આ આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા અને ભાવનગરના પિતા પુત્ર સ્મિત અને યતિશ પરમારનું મોત થયું હતું.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરત શહેરના શૈલેષ કળથિયાની પણ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. શૈલેષના મૃતદેહને મોડી રાત્રે એર ઈન્ડિયાની ખાસ ફ્લાઇટ દ્વારા સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સીઆર પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો અને અધિકારીઓએ શૈલેષના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ મોડી રાત્રે ભાવનગર લવાયા હતા. આજે અંતિમયાત્રામાં શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી પણ ભાવનગર જશે. અમદાવાદ એરપોર્ટ પર નેતાઓ, CISFના જવાનોએ મૃતદેહને શ્રદ્ધાંજલિ આપી હતી. બંનેની અંતિમ વિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે.