ચાઈનામાં 4 વર્ષનો જેલવાસ ભોગવી યુવાન પોતાના વતન દીવમાં પરત ફરતા પરિવારે હાશકારો અનુભવ્યો

દિવનો યુવાન મિતેશ સોલંકીના વકીલ આર વી મેહેતા અને પરિવારની મહેનત આખરે રંગ લાવતા મિતેશ સોલંકીને જેલ મુક્ત કરવામાં આવતા મીતેશ સોલંકી માદરે વતન દીવ આવી પહોંચ્યા

New Update

4 વર્ષના જેલવાસ બાદ યુવાનને મળ્યો છુટકારો

ચાઇનાની જેલમાં 4 વર્ષથી બંધ હતો યુવાન

5 ઓફિસર સહિત 16 ખલાસીઓની કરવામાં આવી હતી અટકાયત

ચીનના સાન્યા કોસ્ટ ગાર્ડે 21 લોકોની કરી હતી અટકાયત

જેલમાંથી યુવાન વતન પરત ફરતા પરિવારમાં ખુશી વ્યાપી

સંઘ પ્રદેશ દિવનો યુવાનની ચાઈનામાં પ્રતિબંધિત માસના શિપિંગ કેસમાં 4 વર્ષનો જેલવાસ ભોગવી ઘરે પરત ફરતા પરિવારમાં ખુશી વ્યાપી કેન્દ્ર શાસિત પ્રદેશદિવનાઅનેક લોકો શિપમાંનોકરીકરવા માટે જતા હોઈ છે ત્યારે આવોજ એક યુવાન મિતેશ સોલંકી નામનો વર્ષ 2020માં કોરોના કાળ દરમિયાન એક વિદેશી કંપની વિયેત નામની શિપીંગમાં સેકેંડ ઓફિસર તરીકે નોકરી કરતો હતો જેમાં ચાઈનામાં પ્રતિબંધ માંસ જે શિપમાં મોક્લાવેલહતું તેશિપ અને તેમાં કાર્યરત પાંચ ઓફિસર સહિત અન્ય સોળ ખલાસીઓને ચીનના સાન્યા કોસ્ટગાર્ડેઅટકાયતકરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા..

જેમાંથી સોળ ખલાસીઓને ડિસેમ્બર ૨૦૨૦માં મુક્ત કરવામાંઆવ્યા હતાજેમાં અટકાયત કરાયેલ ઓફિસરોની ચીન સરકાર સારી રીતે સારસંભાળરાખે રાખેતે બાબતેભારત સરકાર તેમજ ચાઈના સ્થિત ભારતીય દૂતાવાસ સતત પ્રયત્નશીલરહ્યું હતુંજેમાં પક્ડાયેદિવનો યુવાન મિતેશ સોલંકીનાવકીલ આર વી મેહેતાઅને પરિવારની મહેનત આખરે રંગ લાવતામિતેશસોલંકીને જેલ મુક્ત કરવામાં આવતા મીતેશ સોલંકી માદરે વતન દીવ આવી પહોંચતા પરિવારમાં ખુશી વ્યાપી ઉઠી હતી..

Read the Next Article

પંચમહાલ : પાનમ ડેમમાં પાણીની આવક થતા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા કિનારાના ગામોને કરાયા એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

New Update
  • પંચમહાલમાં વરસાદી માહોલ જામ્યો 

  • પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો

  • ડેમનો એક ગેટ સંપૂર્ણ ખોલવામાં આવ્યો

  • પાનમ નદીમાં 1275 ક્યુસેક પાણી છોડાયું

  • નદી કિનારના દસ ઉપરાંત ગામો એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઇ છે.તેમજ ઉપરવાસમાંથી પણ પાનમ ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ વિભાગ દ્વારા આ પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ ડેમનો એક ગેટ આખો ખોલી 1275 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.અને રૂલ લેવલ જાળવી રાખવા માટે પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.ત્યારે હાલમાં પાનમ ડેમમાં 3850 ક્યુસેક પાણી છે. ડેમમાંથી પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.જ્યારે બીજ તરફ પાનમ નદીના જળસ્તરમાં વધારો થતા નદી કિનારે વસેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.