17 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલશે સોમનાથ મંદિરના દ્વાર
BY Connect Gujarat Desk16 Jun 2023 3:56 PM GMT
X
Connect Gujarat Desk16 Jun 2023 3:56 PM GMT
તારીખ 17 જૂનના રોજ સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર દર્શનાાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલશે.
બિપરજોય વાવાઝોડા અને તેની આડ અસરોને ધ્યાને લઈને શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, શ્રી શશિભૂષણ મહાદેવ મંદિર, પ્રાચી ખાતેના ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે તા.15 તથા તા.16 બે દિવસ માટે બંધ રાખવામાં આવેલ હતા. વાવાઝોડાની અસરો પૂર્ણતાના આરે છે ત્યારે જોખમ ઘટતા આવતીકાલે તા.17/06/23 અને શનિવાર ના રોજ દર્શનાર્થીઓ માટે શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો તેમના નિયત સમયે ખુલશે અને યાત્રીઓ દર્શન-પૂજન કરી ધન્ય બનશે.
Next Story