Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડે કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું ઘણાને ભાજપમાં આવવું છે પણ..!

ધારાસભ્યએ કહ્યું કે, જે આવે તેને પ્રજાના કામ કરવા પડે, તાલુકાનો વિકાસ કરવો પડે.

ગીરસોમનાથ: ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડે કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું ઘણાને ભાજપમાં આવવું છે પણ..!
X

ગીર સોમનાથમાં ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડે જાહેર મંચ પરથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.ધારાસભ્ય કહ્યું કે,ભાજપનો ભરતી મેળો ચાલુ છે,આવવું હોય તે આવી જાઓ. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે,ઘણાને આવવું છે પણ ઘણું બધું જોઈએ છે અને એ અહીં નહીં ચાલે. ધારાસભ્યએ કહ્યું કે, જે આવે તેને પ્રજાના કામ કરવા પડે, તાલુકાનો વિકાસ કરવો પડે. કોંગ્રેસ પર નિશાન સાધતા ઉનાનાં ધારાસભ્ય કે સી રાઠોડે કહ્યું કે, જાહેરમાં એ લોકો વાતો કરે છે. હું ખાતો નથી ખાવા દેતો નથી. પરંતુ મળે તો મુકતા પણ નથી.આ વાયરલ વીડિયોએ ઉનાનાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

Next Story