ગીરસોમનાથ: ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડે કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું ઘણાને ભાજપમાં આવવું છે પણ..!
ધારાસભ્યએ કહ્યું કે, જે આવે તેને પ્રજાના કામ કરવા પડે, તાલુકાનો વિકાસ કરવો પડે.
BY Connect Gujarat Desk11 Feb 2024 3:25 PM GMT
X
Connect Gujarat Desk11 Feb 2024 3:25 PM GMT
ગીર સોમનાથમાં ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડે જાહેર મંચ પરથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.ધારાસભ્ય કહ્યું કે,ભાજપનો ભરતી મેળો ચાલુ છે,આવવું હોય તે આવી જાઓ. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે,ઘણાને આવવું છે પણ ઘણું બધું જોઈએ છે અને એ અહીં નહીં ચાલે. ધારાસભ્યએ કહ્યું કે, જે આવે તેને પ્રજાના કામ કરવા પડે, તાલુકાનો વિકાસ કરવો પડે. કોંગ્રેસ પર નિશાન સાધતા ઉનાનાં ધારાસભ્ય કે સી રાઠોડે કહ્યું કે, જાહેરમાં એ લોકો વાતો કરે છે. હું ખાતો નથી ખાવા દેતો નથી. પરંતુ મળે તો મુકતા પણ નથી.આ વાયરલ વીડિયોએ ઉનાનાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
Next Story