Connect Gujarat
ગુજરાત

વડોદરા : ભારત વિકાસ પરિષદ-અલકાપુરી શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો...

X

ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી

શ્રી હરિભક્તિ રાણેશ્વર વિધામંદિરે યોજાયો કાર્યક્રમ

ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન

આપણા અમૂલ્ય 'ગુરુ-શિષ્ય' વારસાના પુનઃ સ્થાપન કાજે ભારત વિકાસ પરિષદ ગુરુપૂર્ણિમાથી લઇ શિક્ષક દિન સુધીમાં ભારતભરની શાળાઓમાં દર વર્ષે 'ગુરુવંદન છાત્ર અભિનંદન'ના સંસ્કારલક્ષી કાર્યક્રમોનું આયોજન કરે છે. આ પ્રકલ્પના ભાગરૂપે આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે વડોદરાના વાસણા-ભાયલી રોડ સ્થિત શ્રી હરિભક્તિ રાણેશ્વર વિધામંદિર ખાતે ભારત વિકાસ પરિષદ-અલકાપુરી શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 250 વિધાર્થીઓએ ભાગ લઇ ગુરૂપુજન કરી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મેહમાન અને વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સહ બૌધિક પ્રમુખ ગોપાલ રુનકરએ બૌદ્ધિક પ્રવચન આપ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને માતાપિતા, ગુરુજી અને વડીલોને માન આપવા, રાષ્ટ્રની સંસ્કૃત અને સમાજની રક્ષા કાજે ફના થવા તેમજ ધુમ્રપાન કે, નશો નહી કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સાથે જ તમામ શ્રેષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદમાંથી પશ્ચિમ ક્ષેત્રના જોઈન્ટ જનરલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ, પ્રાંત સંયોજક અનિતા અગ્રવાલ, શાખા મંત્રી નિખીલભાઈ, શાખા સંયોજિકા વર્ષા પ્રજાપતિ, સેક્રેટરી નિખીલ જીવરાણી અને શાળાના પ્રધાનાચાર્ય રાજેન્દ્રસિંહ રાણા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story