વલસાડ : નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો...

વલસાડ જિલ્લામાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

વલસાડ જિલ્લામાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લાની શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ અંતર્ગત નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કેરાજ્યભરમાં આજથી શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છેત્યારે વલસાડ જિલ્લામાં પણ જિલ્લાની તમામ શાળાઓમાં આ મહોત્સવની શરૂઆત થઈ છે. જેમાં રાજ્યના મંત્રીઓજિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશના કાર્યક્રમો યોજાય રહ્યા છે,

ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ કોપરલીરાતા અને સલવાવ ગામની શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવમાં હાજરી આપી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેઓએ શાળાના વર્ગખંડની પણ મુલાકાત લઈ અને શિક્ષણ સહિત શૈક્ષણિક સ્ટાફ અને ગામનીSMC કમિટીના સભ્યો અને સરપંચ સહિતના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરી શાળામાં ભૌતિક સુવિધાઓ સહિતની જે જરૂરિયાત અને રજૂઆત હોય તે પણ સાંભળી હતી. આ સાથે જ વહેલી તકે શાળાઓમાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા માટે ખાતરી આપી હતી.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.