/connect-gujarat/media/post_banners/32c3c4f2be14e49fa51b5aba8f27a237ab0e3514b77d49fc360854c1acbfec7d.webp)
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રના શિપિંગ રૂટ પર ભારત તરફ જનારા ઇઝરાયેલ સાથે જોડાયેલા કાર્ગો જહાજને હાઇજેક કરી લીધું છે. બળવાખોરોએ જહાજના 25 ક્રૂ મેમ્બરને પણ બંધક બનાવ્યા છે. હુથી બળવાખોરોના પગલાથી પ્રાદેશિક તણાવ વધવાની આશંકા છે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે અન્ય દરિયાઇ મોરચે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
હૌથિઓએ કહ્યું. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ કહ્યું છે કે તેઓએ ઈઝરાયેલ સાથેના સંબંધોને કારણે જહાજને હાઈજેક કર્યું છે અને હમાસ સામે ઈઝરાયેલના અભિયાનના અંત સુધી ઈઝરાયેલ સાથે જોડાયેલા અથવા તેની માલિકી ધરાવતા જહાજોને લાલ સમુદ્રમાં નિશાન બનાવવાનું ચાલુ રાખશે. "ઇઝરાયેલી દુશ્મન સાથે જોડાયેલા અથવા તેના સંપર્કમાં રહેલા તમામ જહાજોને નિશાન બનાવવામાં આવશે,"