સુપોષિત ગુજરાતના ધ્યેય તરફ મક્કમતાથી આગળ ધપતું "ભાવનગર"
(WHO)એ પ્રમાણિત કર્યા મુજબ જ્ન્મ સમયે ઓછાં વજન સાથે જન્મેલાં બાળકોમાં સ્તનપાનની ખૂબ જ અસરકારક પધ્ધતિ એટલે ક્રોસ ક્રેડલ (સુધારેલ પારણાં પધ્ધતિ) છે.

ક્રોસ ક્રેડલ (સુધારેલ પારણાં પધ્ધતિ) અને સમયસરની આરોગ્ય સારવારને કારણે ભાવનગર જિલ્લાના નીગરાની હેઠળના ૭૪માંથી ૪૬ બાળકોમાં એટલે કે, ૬૨% કિસ્સામાં વજન વધારવામાં સફળતા મળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પ્રમાણિત કર્યા મુજબ જ્ન્મ સમયે ઓછાં વજન સાથે જન્મેલાં બાળકોમાં સ્તનપાનની ખૂબ જ અસરકારક પધ્ધતિ એટલે ક્રોસ ક્રેડલ (સુધારેલ પારણાં પધ્ધતિ) છે.
બાળકોને કુપોષણ તરફ જતાં અટકાવવા અને સ્વસ્થ બાળકો દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનાં ઉદ્દેશને પરિપૂર્ણ કરવાં વિભાગીય નાયબ નિયામક ડૉ. મનિષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ.કે.તાવિયાડે જિલ્લાની સમગ્ર ટીમને કાર્યરત કરેલ છે. તમામ તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરો તેમના તાલુકાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના તબીબો અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દ્વારા આ બાબતે નવાં જન્મેલા બાળકોની ગૃહ મુલાકાત કરાવી
લેચીન્ગ (સ્તનના એરીઓલા અને સ્તનના એરીઓલાના નીચલા ભાગ સાથે બાળકના જોડાણ) અને સુધારેલ પારણાં પધ્ધતિ અને જરૂર હોય ત્યાં લેઇડ બેક, ફૂટબોલ હોલ્ડ વગેરે પધ્ધતિ પણ ટીમ દ્વારા સમજાવવામાં આવી રહી છે. પ્રતિ દિન બાળકનું વજન ૪૦ ગ્રામ કરતાં વધુ વધે એ બાબતે સ્તનપાનની વિવિધ પધ્ધતિ અને લેચીન્ગની સાથે સાથે મેટરનલ ન્યૂટ્રીશન અને પોસ્ટનેટલ ન્યૂટ્રીશન તેમજ આયર્ન અને કેલ્શિયમની ગોળીના વપરાશ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.
સિહોર, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાની ત્રિવિધ જવાબદારી સંભાળતા એવા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મનસ્વિની માલવિયા દ્વારા સુપોષિત ભાવનગરના સ્વપ્નને સાકાર કરવા CHO અને RBSK મેડિકલ ઓફિસરનું સતત ફોલો-અપ લેવામાં આવી રહ્યું છે, અને તેમના તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ રુબરુ મુલાકાત લઇ સ્ટાફને આ બાબતની તાલીમ આપી દેખરેખ રાખવામાં આવી રહી છે.