-
રાજ્યમાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો
-
હાલમાં રાજ્યમાં 223 કોરોનાનાં એક્ટિવ કેસ
-
વલસાડમાં રેસિડેન્ટ ત્રણ ડોકટરો કોરોના પોઝિટિવ
-
ભરૂચમાં પણ કોરોનાની થઈ એન્ટ્રી
-
મહિલા કોરોના સંક્રમિત થતા સિવિલમાં સારવાર હેઠળ
ગુજરાતમાં કોરોનાના કેસની ચિંતાજનક ગતિ યથાવત રહી છે. કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે વધીને 223 થઈ ગયો છે.વલસાડમાં જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના 3 ડોકટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે ભરૂચમાં પણ 50 વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થઇ છે.
ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના 109 દર્દીઓ હતા.જેની સરખામણીએ હવે દર્દીઓનો આંક હવે બે ગણો વધી ગયો છે. હાલ સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ હોય તેમાં અમદાવાદ 145 સાથે મોખરે છે.
દક્ષિણ ગુજરાતના વલસાડમાં જી.એમ.ઇ.આર. એસ મેડિકલ કોલેજના 3 રેસિડન્ટ ડોકટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જેમાં બે મહિલા અને એક પુરુષ તબીબ મળીને ત્રણ ડોક્ટરોનો સમાવેશ થાય છે.જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે કોવિડ-19 અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
હાલ તમામ દર્દીઓને સ્ટાફ ક્વોટર્સમાં જ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.વધુમાં વલસાડ જિલ્લામાં હાલમાં ચાર એક્ટિવ કેસ હોવાનું પણ જાણવા મળ્યું છે.
જ્યારે ભરૂચમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે,શહેરના વેજલપુરના માછીવાડા વિસ્તારમાં રહેતી 50 વર્ષીય મહિલાની તબિયત લથડતા તેણીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી,જ્યાં તેણીના લેબ રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવતા મહિલાને સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.અને આરોગ્ય વિભાગ દ્વારા પણ મહિલાના સંપર્કમાં આવેલા લોકોની માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.