ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો,ત્રણ દિવસમાં કેસમાં વધારા સાથે 223 એક્ટિવ કેસ

કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે વધીને 223 થઈ ગયો છે.વલસાડમાં જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના 3 ડોકટરોના રિપોર્ટ પોઝિટિવ બાદ ભરૂચમાં પણ 50 વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થઇ

New Update
  • રાજ્યમાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો

  • હાલમાં રાજ્યમાં 223 કોરોનાનાં એક્ટિવ કેસ

  • વલસાડમાં રેસિડેન્ટ ત્રણ ડોકટરો કોરોના પોઝિટિવ

  • ભરૂચમાં પણ કોરોનાની થઈ એન્ટ્રી

  • મહિલા કોરોના સંક્રમિત થતા સિવિલમાં સારવાર હેઠળ

ગુજરાતમાં કોરોનાના કેસની ચિંતાજનક ગતિ યથાવત રહી છે. કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે વધીને 223 થઈ ગયો છે.વલસાડમાં જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના 3 ડોકટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે ભરૂચમાં પણ 50 વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થઇ છે.

ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના 109 દર્દીઓ હતા.જેની સરખામણીએ હવે દર્દીઓનો આંક હવે બે ગણો વધી ગયો છે. હાલ સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ હોય તેમાં અમદાવાદ 145 સાથે મોખરે છે.

દક્ષિણ ગુજરાતના વલસાડમાં જી.એમ.ઇ.આર. એસ મેડિકલ કોલેજના 3 રેસિડન્ટ ડોકટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જેમાં બે મહિલા અને એક પુરુષ તબીબ મળીને ત્રણ ડોક્ટરોનો સમાવેશ થાય છે.જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે કોવિડ-19 અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

હાલ તમામ દર્દીઓને સ્ટાફ ક્વોટર્સમાં જ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.વધુમાં વલસાડ જિલ્લામાં હાલમાં ચાર એક્ટિવ કેસ હોવાનું પણ જાણવા મળ્યું છે.

જ્યારે ભરૂચમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે,શહેરના વેજલપુરના માછીવાડા વિસ્તારમાં રહેતી 50 વર્ષીય મહિલાની તબિયત લથડતા તેણીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી,જ્યાં તેણીના લેબ રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવતા મહિલાને સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.અને આરોગ્ય વિભાગ દ્વારા પણ મહિલાના સંપર્કમાં આવેલા લોકોની માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

 

Read the Next Article

નિષ્ણાત પાસેથી જાણો કે કયા રોગથી હાથ અને પગમાં અચાનક દુખાવો થાય છે

ઘણી વખત હાથ અને પગમાં અચાનક દુખાવો શરૂ થાય છે. તેનું કારણ પણ જાણી શકાયું નથી. થાક, વધુ પડતી મહેનત અને કેટલાક રોગોને કારણે આવું થઈ શકે છે. આવી સ્થિતિમાં બેદરકાર રહેવું યોગ્ય નથી.

New Update
pain

ઘણી વખત હાથ અને પગમાં અચાનક દુખાવો શરૂ થાય છે. તેનું કારણ પણ જાણી શકાયું નથી. થાક, વધુ પડતી મહેનત અને કેટલાક રોગોને કારણે આવું થઈ શકે છે. આવી સ્થિતિમાં બેદરકાર રહેવું યોગ્ય નથી. હાથ અને પગમાં અચાનક દુખાવો કેમ શરૂ થાય છે અને તેની સારવાર શું છે. નિષ્ણાતો આ વિશે જણાવી રહ્યા છે.

જો તમને પણ અચાનક હાથ અને પગમાં દુખાવો થવા લાગે છે, તો સાવધાન રહો. આ ઘણા કારણોસર થઈ શકે છે. આ પાછળ બીમારી અથવા પોષણનો અભાવ હોઈ શકે છે. આ અચાનક કેમ થાય છે અને તેની પાછળ શું કારણો છે. નિષ્ણાતો અમને આ વિશે જણાવી રહ્યા છે.

હાથ અને પગમાં અચાનક દુખાવો થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આમાં વધુ પડતી મહેનત અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ શામેલ હોઈ શકે છે. ક્યારેક આ અચાનક આંચકાને કારણે પણ થઈ શકે છે. આ ઉપરાંત, કેટલીક બીમારીઓ પણ આનું કારણ હોઈ શકે છે. જો તમને પણ અચાનક હાથ અને પગમાં દુખાવો થવા લાગે છે, તો તેને અવગણવું જોઈએ નહીં. તમારે તેના કારણો વિશે જાણવું જોઈએ. ક્યારેક સૂતી વખતે હાથ કે પગ ખોટા ખૂણા પર હોવાને કારણે દુખાવો થાય છે.

હાથ-પગમાં અચાનક દુખાવો થવાના ઘણા કારણો છે. આમાં ઘણા રોગોનો સમાવેશ થાય છે. સામાન્ય કારણોમાં સંધિવા, ફાઈબ્રોમીઆલ્ગીઆ, ચેતામાં દુખાવો, ચેપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગંભીર કારણોમાં ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન, ડિહાઇડ્રેશન, વિટામિનની ઉણપ અને અમુક પ્રકારની દવાઓની આડઅસર પણ દુખાવોનું કારણ બની શકે છે. જો આ સમસ્યા તમારા શરીરમાં સતત થઈ રહી છે, તો તેને બિલકુલ અવગણવી જોઈએ નહીં. આ કિસ્સામાં, તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

જો તમને અચાનક તમારા હાથ કે પગમાં દુખાવો થવા લાગે છે, તો તેને અવગણવું જોઈએ નહીં. આનું કારણ જાણવા માટે તમારે ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કેટલાક પરીક્ષણો પછી, તેનું કારણ શોધી શકાય છે. જે પછી તેને સારવાર દ્વારા પણ સુધારી શકાય છે. અવગણવામાં આવે તો સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ડૉક્ટર તમારા શરીરમાં વિટામિન ડી, બી 12 અને કેલ્શિયમ જેવા પરીક્ષણો કરી શકે છે. આ ઉપરાંત, એન્ટિ-સીસીપી અને સંધિવા માટે પણ પરીક્ષણો કરી શકાય છે. આજકાલ મોટાભાગના કિસ્સાઓમાં, દર્દીઓમાં વિટામિન ડી અને બી 12 ની ઉણપ જોવા મળે છે. આ માટે, ડૉક્ટર તમને પૂરક દવાઓ આપી શકે છે અથવા તમારા માટે ડાયેટ ચાર્ટ તૈયાર કરી શકે છે.