ડાયાબિટીસ વાળા લોકે ભોજનમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. જેનાથી તમારું શુગર લેવલ કંટ્રોલ કરી શકો. ડાયાબિટીસના દર્દી છો તો ભૂલથી પણ અમુક ફૂડ્સનું સેવન ન કરવું જોઈએ.જાણે અજાણે અમુક વસ્તુઓ ખાઈ-પી લેવાથી લોહીમાં સુગર વધતું હોય છે. ભારતમાં ડાયાબિટીસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલી બીમારી છે. ડાયાબિટીસ એક ધીમું ઝેર છે જે ધીરે ધીરે શરીરને નુકસાન પહોંચાડે છે અને તમને ખબર પડે ત્યાં સુધી ઘણુ મોડુ થઈ ચુક્યું હોય છે. જો એક વખત ડાયાબિટીસ થઈ જાય તો આખું જીવન તે રહે છે. માટે ભોજનમાં ખાસ ધ્યાન આપો.
2. તળેલું ભોજન ટાળો :
ડાયાબિટીસના દર્દીને તળેલુ ભોજન વધારે ન ખાવું જોઈએ. આ બીમારીમાં તમને પુરી-ભજીયા, ફ્રેન્ચ ફ્રાયઝ, બટાકા વેફર, સમોસા , વડા પાઉં વગેરેનું સેવન ન કરો. બને ત્યાં સુધી સાત્વિક અને શુદ્ધ ભોજન લો. તળેલી વસ્તુઓ લોહીમાં ગ્લૂકોઝના લેવલને વધારે છે અને તમને નુકસાન પહોંચાડી શકે છે.એટ્લે ધ્યાન રાખો.
3. સોફ્ટ ડ્રિંક્સ એક્દમ ઓછી પીવો અથવા ન જ પીવો :
સોફ્ટ ડ્રિંક્સમાં ઘણા ખૂબ વધારે શુગર અને કાર્બોહાઈડ્રેટ હોય છે જે બ્લડ શુગર લેવલને વધારી શકે છે માટે તેનું સેવન પણ ન કરવું જોઈએ. તેની સાથે જ બજારમાં મળતી બીજા પ્રકારની એનર્જી ડ્રિંક્સનું પણ સેવન ન કરવું જોઈએ.
આટલું કરવાથી પણ તમે ડાયાબિટીસની અસર ઘટાડી શકો છો.