New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/06114132/Corona-test.jpg)
કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 54 દિવસ બાદ નવા કેસમાં 3 હજારથી ઓછા નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં 2869 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતનો આંકડો 8 લાખને પાર થયો છે. તો એક દિવસ બાદ ફરી 10 હજારથી ઓછા એટલે કે 9 હજાર 302 દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે 64 દિવસ એટલે કે બે મહિના બાદ દૈનિક મૃત્યુઆંક 33 થયો છે. આમ સતત 23મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 92.66 ટકા થયો છે.