ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. બંને ટીમો ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમશે. આ પછી ત્રણ વનડે સીરીઝ પણ રમાશે, પરંતુ આ સીરીઝ પહેલા જ ટીમ ઈન્ડિયાના બે મહત્વના ખેલાડીઓ વિવાદોમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકે હોટલમાં તિલક લગાવવાની ના પાડી દીધી હતી. આ કારણે બંને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. જો કે ઘણા ફેન્સ પણ તેને સપોર્ટ કરી રહ્યા છે.
સિરાજ સિવાય ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને સ્પોર્ટ્સ સ્ટાફ મેમ્બર હરિ પ્રસાદ મોહને પણ તિલક લગાવ્યું ન હતું, પરંતુ ટીકાકારો જાણીજોઈને સિરાજ અને ઉમરાનને નિશાન બનાવીને મામલાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
मोहम्मद सिराज और उमरान मलिक टीका नहीं लगवाते हैं क्योंकि वे उस स्तर पर पहुंचने के बाद भी अपने धर्म के प्रति कट्टर हैं। pic.twitter.com/lGwCWxu3xx
— Yogi Devnath 🇮🇳 (@YogiDevnath2) February 3, 2023
ભારતીય ટીમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટીમના તમામ સભ્યો હોટલની અંદર જતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન હોટેલ સ્ટાફ ટીમના તમામ સભ્યોનું તિલક લગાવીને સ્વાગત કરી રહ્યો છે, પરંતુ ટીમ ઈન્ડિયાના કેટલાક સભ્યોએ તિલક લગાવવાનો ઈન્કાર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, વિક્રમ રાઠોડ અને હરિ પ્રસાદ મોહને તિલક લગાવવાનો ઈન્કાર કર્યો છે. જો કે, ટીમના બાકીના સભ્યો તિલક લગાવે છે અને ઘણા સભ્યો ચશ્મા ઉતાર્યા પછી પણ તિલક લગાવે છે.
ઘણા ટીકાકારોએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરીને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. ટીકાકારોનું કહેવું છે કે સિરાજ અને ઉમરાન મલિક તેમના ધર્મને લઈને ખૂબ જ કટ્ટર છે. આથી બંનેને તિલક લગાવવામાં આવતું નથી. જો કે, બંનેના ચાહકોએ સમર્થનમાં લખ્યું કે વિક્રમ રાઠોડ અને હરિ પ્રસાદ પણ તિલક નથી લગાવી રહ્યા, પરંતુ તેમના પર કોઈ નિવેદન નથી આપી રહ્યું.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170