Connect Gujarat
દેશ

ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 304 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ નોંધાયા

ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 304 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ નોંધાયા
X

ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 304 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ નોંધાયા છે. જ્યારે 370 દર્દીઓને રજા આપવામાં આવી છે.

ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશન - 90, સુરત કોર્પોરેશન - 30, વડોદરા કોર્પોરેશન - 30, મહેસાણા - 19, વલસાડ - 14, ગાંધીનગર - 12, સુરત - 12, ભરૂચ - 10, સાબરકાંઠા - 10, અમરેલી - 9, પાટણ - 9, ગાંધીનગર કોર્પોરેશન - 7, રાજકોટ કોર્પોરેશન - 7, બનાસકાંઠા - 5, મોરબી - 5, રાજકોટ - 5, આણંદ - 4, વડોદરા - 4, બોટાદ - 3, ગીર સોમનાથ - 3, નવસારી - 3, કચ્છ - 2, નર્મદા - 2, પંચમહાલ - 2, સુરેન્દ્રનગર - 2, તાપી - 2, અમદાવાદ - 1, ભાવનગર કોર્પોરેશન - 1, જામનગર કોર્પોરેશન – 1 નોંધાયો.

આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 304 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 370 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2149 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 06 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત 2143 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11072 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

Next Story