કોલકાતામાં નિર્માણાધીન 5 માળની ઇમારત ધરાશાયી:10 લોકોને બચાવાયા

New Update
કોલકાતામાં નિર્માણાધીન 5 માળની ઇમારત ધરાશાયી:10 લોકોને બચાવાયા

પશ્ચિમ બંગાળના કોલકાતામાં રવિવારે મોડી રાત્રે 5 માળની એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટના દક્ષિણ કોલકાતાના મેટિયાબ્રુઝમાં બની હતી. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સમયે ઈમારત ખાલી હતી. તેની બાજુમાં ઝૂંપડપટ્ટીઓ છે, જેના પર મકાન ધરાશાયી થયું હતું. લોકો ત્યાં સૂતા હતા. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. લોકોને શોધવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કોલકાતા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સર્વિસની ટીમો ઘટનાસ્થળે હાજર છે. ઘણી એમ્બ્યુલન્સ પણ તૈનાત છે. પોલીસે જણાવ્યું કે ઘટના સ્થળનો વિસ્તાર ભીડભાડથી ભરેલો છે. તેથી સર્ચ ઓપરેશનમાં સાવચેતી રાખવામાં આવી રહી c છે 

Read the Next Article

હરિયાણામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા, ઝજ્જર જિલ્લામાં ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

છેલ્લા કેટલાક દિવસોમાં હરિયાણામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. થોડા દિવસો પહેલા ૧૧ જુલાઈના રોજ, હરિયાણાના ઝજ્જર જિલ્લામાં ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

New Update
Strong earthquake

છેલ્લા કેટલાક દિવસોમાં હરિયાણામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. થોડા દિવસો પહેલા ૧૧ જુલાઈના રોજ, હરિયાણાના ઝજ્જર જિલ્લામાં ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

બુધવારે રાત્રે 12:46 વાગ્યે હરિયાણાના રોહતકમાં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રોહતક શહેરથી માત્ર 17 કિમી પૂર્વમાં જમીનમાં 10 કિમી ઊંડાઈએ હતું. ખેરી સાંપલા અને ખારખૌડા જેવા નજીકના શહેરોના રહેવાસીઓએ 2-5 સેકન્ડ સુધી ભૂકંપનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું. મોડી રાત્રે ભૂકંપના કારણે લોકો જાગી ગયા હતા અને તેઓ ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા અને ખુલ્લી જગ્યામાં આવી ગયા હતા. કોઈ નુકસાન થયું નથી.

છેલ્લા કેટલાક દિવસોમાં હરિયાણામાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે . થોડા દિવસો પહેલા, 11 જુલાઈના રોજ, હરિયાણાના ઝજ્જર જિલ્લામાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપ દિલ્હી-એનસીઆરમાં પણ અનુભવાયો હતો. અગાઉ 10 જુલાઈના રોજ, આ જ વિસ્તારમાં 4.4 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. ઝજ્જર અને દિલ્હી-એનસીઆરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં વારંવાર આવતા ભૂકંપને કારણે તેઓ ભય અનુભવવા લાગ્યા છે, જે આ વિસ્તારની ભૂકંપ સંવેદનશીલતા દર્શાવે છે