ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 9 લોકોએ ગુમાવ્યા જીવ, ઋષિકેશના ધલવાલા અને ખારા વિસ્તારમાં થયો ભારે વરસાદ

New Update
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 9 લોકોએ ગુમાવ્યા જીવ, ઋષિકેશના ધલવાલા અને ખારા વિસ્તારમાં થયો ભારે વરસાદ

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા અને 12 લોકો ઘાયલ થયા છે. ઋષિકેશના ધલવાલા અને ખારા વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો હતો. મોડી રાત્રે SDRFએ અહીંથી 50 લોકોને બચાવ્યા.

હલ્દવાણીમાં પાણીમાં ફસાયેલા 150 લોકોને બચાવી લેવાયા છે. રાજ્યના નૈનિતાલ, ચંપાવત, ઉધમ સિંહનગર અને પૌડી જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, હિમાચલમાં 24 જૂનથી અત્યારસુધીમાં લગભગ 223 લોકોએ જીવ ગુમાવ્યા છે. એ જ સમયે 295થી વધુ લોકો ઘાયલ થયા છે. 800 મકાન સંપૂર્ણપણે નાશ પામ્યાં અને 7500 મકાન જર્જરિત થઈ ગયાં છે.

બીજી તરફ, દિલ્હીમાં પૂર મામલે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે ચીફ એન્જિનિયર સંદીપ તનેજાને સસ્પેન્ડ કરી દીધા છે. સંદીપ પર ITO યમુના બેરેજના 4 દરવાજા ન ખોલવાનો આરોપ છે, જેના કારણે દિલ્હીમાં પૂર આવ્યું હતું.

Read the Next Article

અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

New Update
utn

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબમુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગસ્ત્યમુનિરતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છેજ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.

Latest Stories