બિહારના બક્સર જિલ્લામાં એક મોટો રેલવે અકસ્માત, નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 21 કોચ પાટા પરથી ઉતરી ગયા, 4 લોકોના મોત
BY Connect Gujarat Desk12 Oct 2023 2:55 AM GMT
X
Connect Gujarat Desk12 Oct 2023 2:55 AM GMT
બિહારના બક્સર જિલ્લામાં એક મોટો રેલવે અકસ્માત થયો છે, જ્યાં દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 21 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. લગભગ 20 ઘાયલોને સારવાર માટે પટના એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જેમાં 2 એસી કોચનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત રઘુનાથપુર રેલવે સ્ટેશન પાસે થયો હતો. માહિતી મળતા જ રેલવે વિભાગના અધિકારીઓ અને રાહત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે ઘટના પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.
Next Story