હૈદરાબાદના ચારમિનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં લાગી ભીષણ આગ, 17ના મોત

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભયંકર આગની ઘટનામાં 17 લોકોની જિંદગી હોમાઇ ગઇ જ્યારે અનેક ઘાયલ થયા છે અહીં હૈદરાબાદના  ચારમિનાર વિસ્તારમાં ગુલઝાર

New Update
haidrabad

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભયંકર આગની ઘટનામાં 17 લોકોની જિંદગી હોમાઇ ગઇ જ્યારે અનેક ઘાયલ થયા છે અહીં હૈદરબાગદના  ચારમિનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં આ ભીષણ આગ લાગી હતી.

માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના રવિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો  હતો.  માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધું હતું.ફાયર ફાઇટર્સના જણાવ્યા અનુસાર, ચાર પરિવારોના ડઝનબંધ લોકો હજુ પણ આ ઇમારતમાં ફસાયેલા છે. અત્યાર સુધીમાં જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં ત્રણ બાળકો સહિત  14 લોકોનો સમાવેશ થાય છે.  જો કે આ બધા પણ બહુ  ખરાબ રીતે દાઝી ગયા છે.  તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ ઇમારતમાં 30 થી વધુ લોકો રહેતા હતા. તેમાંના મોટાભાગના ભાડૂઆત હતા.

Latest Stories