અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ મચી, દુર્ઘટનામાં 29 લોકો મોત, 30થી વધુ લોકો થયા ઘાયલ

તમિલનાડુના નમક્કલમાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ મચી ગઈ હતી. તમિલનાડુના આરોગ્ય પ્રધાન એમ.એ. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 29 લોકો માર્યા ગયા છે,

New Update
scs

તમિલનાડુના નમક્કલમાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ મચી ગઈ હતી.

તમિલનાડુના આરોગ્ય પ્રધાન એમ.એ. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 29 લોકો માર્યા ગયા છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

TVK (તમિલાગા વેત્રી કઝગમ)ના વડા અને અભિનેતા વિજયની રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભીડ એટલી વધી ગઈ હતી કે પરિસ્થિતિ બગડવા લાગી. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય ભીડને સંબોધિત કરી રહ્યા હતા. કેટલાક લોકો બેભાન થઈ ગયા પછી તેમણે પોતાનું ભાષણ અટકાવીને રેલી છોડી દેવી પડી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડ એટલી બધી વધી ગઈ હતી કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. અચાનક ત્યાં હાજર લોકો અને કાર્યકરો બેહોશ થવા લાગ્યા. ત્યારબાદ અભિનેતા વિજયે પોતાનું ભાષણ બંધ કરી દીધું અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી. તેમણે પોતાના પક્ષના કાર્યકરોને જરૂરિયાતમંદોને મદદ કરવા અને તેમને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા વિનંતી કરી.

Latest Stories