તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો, અભિનેત્રી અને ભાજપ નેતા ગૌતમી તડીમલ્લાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું

New Update
તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો, અભિનેત્રી અને ભાજપ નેતા ગૌતમી તડીમલ્લાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું

તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અભિનેત્રી અને ભાજપ નેતા ગૌતમી તડીમલ્લાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌતમી તડીમલ્લાએ એક પત્ર દ્વારા આ માહિતી આપી છે.



ગૌતમી તડીમલ્લાએ પત્રમાં કહ્યું છે કે ખૂબ જ ભારે હૃદયે મેં ભાજપના સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. હું 25 વર્ષ પહેલા પાર્ટીમાં રાષ્ટ્ર નિર્માણમાં તેના પ્રયાસોનું યોગદાન આપવા માટે જોડાઈ હતી. મારા જીવનમાં મેં જે પણ પડકારોનો સામનો કર્યો છે, મે તે પ્રતિબદ્ધતાનું સન્માન કર્યું છે. તેમ છતાં આજે હું મારા જીવનમાં અકલ્પનીય સંકટની પરિસ્થિતિમાં ઉભી છું. મને પક્ષ અને નેતાઓ તરફથી કોઈ પ્રકારનું સમર્થન મળ્યું નથી.

Read the Next Article

રેલવેએ કર્મચારીઓને આપી મોટી ગીફ્ટ, નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો લીધો નિર્ણય

રેલવેએ  તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted  નિવૃત્ત

New Update
Indian-Railways

રેલવેએ  તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted  નિવૃત્ત કર્મચારીઓને કરાર પર ફરીથી રોજગારી આપવામાં આવશે.

રેલવેમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને સરળ, કાર્યક્ષમ બનાવવા તેમજ અનુભવી કર્મચારીઓની સેવાઓમાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવેએ નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવા માટેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે, નિવૃત્ત કર્મચારીઓને પગાર લેવલ 1 થી પગાર લેવલ 9 સુધી ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારી આપી શકાય છે, જો કે તેઓ સમાન શ્રેણી/વર્ગના હોય અને ખાલી જગ્યા કરતા માત્ર ત્રણ સ્તર ઉપરના પદ પરથી નિવૃત્ત થયા હોય.

નવા નિયમ મુજબ, સમાન પગાર લેવલથી નિવૃત્ત થયેલા અને યોગ્ય જણાતા કર્મચારીઓને ઉચ્ચ લેવલના પદ પરથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ કરતાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત, હવે ડીઆરએમને નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. જ્યારે મુખ્યાલય સ્તરે ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારીની સત્તા જનરલ મેનેજર પાસે રહેશે. જોકે, ફરીથી ભરતી માટે કુલ સંખ્યા નક્કી કરવાની સત્તા હજુ પણ જનરલ મેનેજર પાસે રહેશે.