અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે ઉત્તરપ્રદેશમાં મિસાઇલ સંકુલને મૂક્યું ખુલ્લું

New Update
અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે ઉત્તરપ્રદેશમાં મિસાઇલ સંકુલને મૂક્યું ખુલ્લું

સંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આગલી હરોળના ઉત્પાાદક અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે આજે શસ્ત્ર સરંજામ અને મિસાઇલ્સના ઉત્પાદન માટે બે વિશાળકાય સુવિધાઓ આજે ખુલ્લી મૂકીને ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં તેના આ પ્રકારની અદ્યતન સુવિધાઓ પ્રથમ છે જે ભારત રાષ્ટ્રની આત્મનિર્ભરતા અને સંરક્ષણ ક્ષેત્રમાં તકનીકીની દીશામાં પ્રગતિને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે.

દક્ષિણ એશિયાની આ સૌથી મહાકાય સવલતો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આર્મી સ્ટાફના વડા, જનરલ મનોજ પાંડે AVSM VSM SM ADC, સેન્ટ્રલ કમાન્ડના GOC-in-C, લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિ PVSM AVSM દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે SM VSM, માસ્ટર જનરલ ઑફ સસ્ટેનન્સ, લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજલા UYSM YSM SM VSM તેમજ કેન્દ્રના રક્ષા મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકારના વરિષ્ઠ મહાનુભાવોની હાજર રહ્યા હતા. આ મહાનુભાવોએ રાજ્ય અને દેશને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરવા અને વિભિન્ન ક્ષમતાઓનું સર્જન કરવામાં માટે અદાણી ડિફેન્સના પ્રયાસો અને યોગદાનની પ્રશંસા કરી હતી.

જોગાનુજોગ આ સુવિધાઓનું અનાવરણ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઈકનું ઐતિહાસિક ઓપરેશન ‘ઓપરેશન બંદર’ની આજે પાંચમી તિથીએ થયું હતું, આ ઓપરેશન બાહ્ય જોખમોનો સામનો કરવામાં ભારતની વ્યૂહાત્મક દૃઢતા અને તાકાતની સાક્ષી તરીકે યાદગાર બની રહ્યું હતું.

કાનપુરમાં ૫00 એકર જમીનમાં પથરાયેલી આ સુવિધા સૌથી મોટા સંકલિત શસ્ત્ર સરંજામ ઉત્પાદન સંકુલોમાંનું એક બની રહેવાની તૈયારીમાં છે. અહીં ભારતના સશસ્ત્ર દળો,અર્ધલશ્કરી દળો અને પોલીસ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા નાના, મધ્યમ અને મોટી ક્ષમતાના શસ્ત્ર સરંજામનું ઉત્પાદન કરશે. આ સુવિધા અંતર્ગત ભારતની વાર્ષિક જરૂરિયાતના ૨૫% અંદાજિત ૧૫૦ મિલિયન રાઉન્ડથી શરૂ કરીને નાની યોગ્યતાના દારૂગોળાનું ઉત્પાદન શરૂ કરાયું છે.

Read the Next Article

કર્ણાટક સરકારે બેંગ્લુરૂમાં નાસભાગ મુદ્દે RCB પર ટીકા કરતાં કોહલીને પણ જવાબદાર ઠેરવ્યો

RCBની વિનંતીમાં અપેક્ષિત ભીડનું કદ, વ્યવસ્થા અને IPL ફાઇનલના પરિણામ માટે આકસ્મિક યોજનાઓ જેવી મહત્વપૂર્ણ વિગતોનો અભાવ હતો. પરિણામે, પોલીસે ઇવેન્ટ માટે મંજૂરી આપી ન હતી.

New Update
rcb

કર્ણાટક સરકારે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી દુ:ખદ ભાગદોડ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) ને જવાબદાર ઠેરવી છે, જેમાં 11 લોકો માર્યા ગયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

એનડીટીવીના અહેવાલ મુજબ, રિપોર્ટ ગુપ્ત રાખવાની વિનંતી છતાં, કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે તેને રોકવાનો કોઈ કાનૂની આધાર નથી.

સરકારના અહેવાલમાં ખુલાસો થયો છે કે આરસીબીએ 4 જૂન, 2025 ના રોજ આઈપીએલ ટાઇટલ જીત્યા પછી, જરૂરી પોલીસ પરવાનગી મેળવ્યા વિના વિજય પરેડનું આયોજન કર્યું હતું.

જ્યારે આરસીબીએ 3 જૂનના રોજ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનને જાણ કરી હતી, ત્યારે સંદેશાવ્યવહાર ફક્ત એક સૂચના હતી, કાયદા દ્વારા ફરજિયાત ઔપચારિક વિનંતી નહોતી, જેના માટે સાત દિવસ અગાઉ અરજીઓ સબમિટ કરવાની જરૂર છે.

અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે આરસીબીની વિનંતીમાં અપેક્ષિત ભીડનું કદ, વ્યવસ્થા અને આઈપીએલ ફાઇનલના પરિણામ માટે આકસ્મિક યોજનાઓ જેવી મહત્વપૂર્ણ વિગતોનો અભાવ હતો. પરિણામે, પોલીસે ઇવેન્ટ માટે મંજૂરી આપી ન હતી.

પરવાનગી ન હોવા છતાં, RCB એ સોશિયલ મીડિયા પર પરેડની જાહેરાત કરી. 4 જૂનના રોજ સવારે 7:01 વાગ્યે, ફ્રેન્ચાઇઝીએ X પર પોસ્ટ કરી, જેમાં ચાહકોને વિધાન સૌધાથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધીની મફત વિજય પરેડ માટે આમંત્રણ આપવામાં આવ્યું.

સવારે 8:00 વાગ્યે એક ફોલો-અપ પોસ્ટ આ આમંત્રણને વધુ મજબૂત બનાવતી હતી, અને 8:55 વાગ્યે, વિરાટ કોહલી દર્શાવતો એક વિડિઓ શેર કરવામાં આવ્યો હતો, જેમાં ચાહકોને ઉજવણીમાં જોડાવા માટે વિનંતી કરવામાં આવી હતી.

3:14 વાગ્યે એક અંતિમ પોસ્ટમાં ઓનલાઈન મર્યાદિત-પ્રવેશ પાસ ઉપલબ્ધ હોવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અગાઉની પોસ્ટમાં ખુલ્લી પ્રવેશનો સંકેત આપવામાં આવ્યો હતો, જેનાથી મૂંઝવણ ઊભી થઈ હતી. 

આ પોસ્ટ્સને 44 લાખથી વધુ વ્યૂ મળ્યા હતા, જેના કારણે અંદાજે 3,00,000 થી વધુ લોકો ભેગા થયા હતા, જે બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) દ્વારા નોંધાયેલા સામાન્ય દૈનિક પરિવહન સંખ્યા કરતાં ઘણી વધારે છે.

HAL એરપોર્ટથી તાજ વેસ્ટ એન્ડ સુધીના 14 કિલોમીટરના રૂટ પર પણ ભીડ ટીમને જોવા માટે ઉભી હતી, જેના કારણે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે નોંધપાત્ર પોલીસ તૈનાતીની જરૂર હતી.

RCB Victory Parade | IPL | Bengaluru Stampede