ચૂંટણી પરિણામો બાદ PM મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા,કહ્યું ગીતાની ધરતી પર સત્યની જીત થઈ !

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણામાં ભાજપની સરકાર બની રહી છે. પાર્ટીએ 48 બેઠકો કબજે કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપને 29 બેઠકો મળી

pm modi1
New Update

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણામાં ભાજપની સરકાર બની રહી છે. પાર્ટીએ 48 બેઠકો કબજે કર્યો છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં ભાજપને 29 બેઠકો મળી છે.ચૂંટણી પરિણામો આવ્યા બાદ પીએમ મોદી રાત્રે 8 વાગ્યે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા. કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું- આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે.

હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર આવી છે. દરેક જાતિ અને દરેક વર્ગે અમને મત આપ્યો.પીએમએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્યની જીત થઈ છે. જમ્મુ-કાશ્મીરમાં દાયકાઓની રાહ બાદ શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ. હરિયાણાના લોકોએ આ વખતે કમાલ કરી બતાવી છે.મોદી પહેલા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત આભાર કાર્યક્રમમાં અધ્યક્ષ જેપી નડ્ડાએ જીતનો શ્રેય પીએમ મોદીને આપ્યો હતો.તેમણે કહ્યું- હરિયાણામાં ભાજપની સરકાર બની, જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીની વોટિંગ ટકાવારી વધી, આ મોદીના સેવા કાર્યનું પરિણામ છે.

Here are a few more articles:
Read the Next Article