ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ લીધો એક મહત્વપૂર્ણ નિર્ણય, કેટલાક શહેરોની ફ્લાઇટ્સ કરી રદ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બંનેએ મંગળવાર માટે કેટલાક શહેરોની ફ્લાઇટ્સ રદ કરી છે. ઇન્ડિગોએ

New Update
કોરોના ઇફેક્ટ : ઈન્ડિગો એર લાઇન્સ 10 ટકા કર્મચારીઓને છૂટા કરશે

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બંનેએ મંગળવાર માટે કેટલાક શહેરોની ફ્લાઇટ્સ રદ કરી છે.

 ઇન્ડિગોએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચંડીગઢ અને રાજકોટ સહિત કેટલાક શહેરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા દ્વારા ફ્લાઇટ રદ કરવા અંગે અપડેટ પણ આપ્યું છે.

ઇન્ડિગોએ ‘એક્સ’ પર ફ્લાઇટ રદ કરવા અંગે એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે "તમારી સલામતી અમારી પ્રાથમિકતા છે. 13 મે માટે જમ્મુ, અમૃતસર, ચંડીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટથી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમે સમજીએ છીએ કે આનાથી તમારી મુસાફરી યોજનાઓ પર અસર પડશે. અમારી ટીમ પરિસ્થિતિને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહી છે. ટૂંક સમયમાં તમને અપડેટ આપીશ. 

એર ઇન્ડિયાએ રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત અને કેટલાક અન્ય રાજ્યોની ફ્લાઇટ્સ રદ કરી છે. તેણે એક્સ પર લખ્યું હતું કે "તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને અને તમારી સલામતીને પ્રાથમિકતા આપતા મંગળવાર 13 મે માટે જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંડીગઢ અને રાજકોટ જતી અને આવતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તમને અપડેટ આપતા રહીશું.

Latest Stories