અમરનાથ યાત્રા: શ્રદ્ધાળુઓની પહેલી ટુકડી આજે કશ્મીર પહોંચશે

દેશ | સમાચાર : અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે. તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડી કાશ્મીર પહોંચશે. અહીંથી તેઓ ઉત્તર કાશ્મીર બાલતાલ અને દક્ષિણ કાશ્મીર અનંતનાગ બેઝ કેમ્પ જશે

દક્ષિણ કાશ્મીર
New Update

અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે. તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડી આજે  કાશ્મીર પહોંચશે. અહીંથી તેઓ ઉત્તર કાશ્મીર બાલતાલ અને દક્ષિણ કાશ્મીર અનંતનાગ બેઝ કેમ્પ જશે. તમામ શ્રદ્ધાળુઓ આજે સુરક્ષા કાફલા સાથે ઘાટી જવા રવાના થશે અને શનિવારે (29 જૂન) અમરનાથના દર્શન કરશે.

જમ્મુમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણને કારણે યાત્રાના માર્ગો પર સુરક્ષા કડક કરવામાં આવી છે. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસની 13 ટીમો, એસડીઆરએફની 11, એનડીઆરએફની આઠ, બીએસએફની ચાર અને સીઆરપીએફની બે ટુકડીઓ બંને માર્ગો પર ઉચ્ચ સુરક્ષા સ્થળો પર તહેનાત છે.
Here are a few more articles:
Read the Next Article