હવે ઘરે બેઠા મળશે અંબાજીનો પ્રસાદ, ઓનલાઈન પ્રસાદ મોકલવાની સુવિધા શરૂ

New Update
હવે ઘરે બેઠા મળશે અંબાજીનો પ્રસાદ, ઓનલાઈન પ્રસાદ મોકલવાની સુવિધા શરૂ

શક્તિપીઠ અંબાજીનો મોહનથાળ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મોહનથાળનો તથા ચીકીનો પ્રસાદ લેવાનો ભૂલતા નથી, પરંતુ કેટલીક વાર ભીડમાં પ્રસાદ લેવાનું રહી જતું હોય છે. ત્યારે હવે કોઈ પણ ભક્તો પ્રસાદથી વંચિત ના રહે તે માટે ઘરે બેઠા અંબાજીનો પ્રસાદ મળશે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન મોહનથાળ અને ચીકીના પ્રસાદની વ્યવસ્થા શરૂ કરાઈ છે. ભક્તો ઘરે બેઠા અંબાજી મંદિરની વેબસાઈટ પરથી ઓનલાઈને પ્રસાદ મંગાવી શકશે. એટલું જ નહીં ઓનલાઈન આ પ્રસાદ કોઈ પણ વધારાના ચાર્જ વગર ભક્તો સુધી પહોંચાડવામાં આવશે. તો આ પ્રસાદ 3થી 4 દિવસમાં જ શ્રદ્ધાળુઓને મળી જશે. ભક્તો મંદિર દ્વારા સૂચિત કરાયેલી વેબસાઈટ પર ઓનલાઈને પેમેન્ટ કરી ઘરે બેઠા પ્રસાદ મેળવી રહ્યા છે.

Read the Next Article

ચમોલીમાં ભારે વરસાદને કારણે 7 લોકો લાપતા, અનેક વિસ્તારોમાં વરસાદનુ એલર્ટ

જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, બીજી બાજુ કુંતરી ગામમાં અનેક ઘરો માટીના કાટમાળની ઝપેટમાં આવી ગયા છે.

New Update
CHAMOLI

ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી રહ્યો છે. જનપદ ચમોલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે.જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે.

ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી રહ્યો છે. જનપદ ચમોલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે.જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, બીજી બાજુ કુંતરી ગામમાં અનેક ઘરો માટીના કાટમાળની ઝપેટમાં આવી ગયા છે. આ ઘટનાને પગલે કેટલાંક લોકો લાપતા થયા છે.

મળતી માહિતી પ્રમાણે ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. વરસાદને પગલે અનેક જગ્યાઓ પર માટી ધસવાના બનાવો બન્યા છે. તો બીજી તરફ જનપદના નંદા નગરમાં ભારે વરસાદને કારણે લોકોના જનજીવનને અસર પહોંચી છે. કુંતરી ગામમાં વરસાદને કારણે કાટમાળમાં અનેક લોકો દટાયા છે. લાપતા લોકોને શોધવા માટે સ્થળ પર નંદાનગર પોલીસ અને પ્રશાસન ટીમ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. હાલત એટલી ભયાવહ છે કે ત્યાં સુધી પહોંચવા માટે પ્રશાસન અને પોલીસની ટીમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘટનામાં 7 લોકો લાપતા

આ ઘટના અંગે સ્થાનિક લોકોનુ કહેવુ છે કે કેટલાંક લોકો ઘરમાં ફસાયા છે તો કેટલાક લોકો લાપતા પણ છે. ચમોલીમાં પ્રારંભિક સૂચના અનુસાર નગર પંચાયત નંદાનગરના વોર્ડ કુતિંર લગાફાલીમાં ભારે વરસાદને કારણે કાટમાળ ધસતા 6 મકાન ઝપેટમાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં 7 લોકો લાપતા થયા છે તો 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મંગળવારે પણ રાજધાની દેહરાદૂન સહિત અનેક વિસ્તારોમાં વાદળ ફટવાને કારણે ભારે વરસાદે તબાહી મચાવી હતી. રાજ્યના વિવિધ ભાગોમાં પૂરના કારણે નદીઓ, ઇમારતો, રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા, જેના કારણે 15 લોકો માર્યા ગયા, 16 ગુમ થયા અને લગભગ 900 લોકો ફસાયા.