Connect Gujarat
દેશ

અનંત-રાધિકાએ ગ્રામજનોને ભોજન પિરસ્યું,મુકેશ અંબાણીએ મેસુબનો અને ભજિયાંનો સ્વાદ માણ્યો

અનંત-રાધિકાએ ગ્રામજનોને ભોજન પિરસ્યું,મુકેશ અંબાણીએ મેસુબનો અને ભજિયાંનો સ્વાદ માણ્યો
X

1 થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.


ત્યારે આજે રાત્રે જોગવડ ગામમાં સમુહભોજન અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અનંત-રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યાં હતા. ગામલોકોએ હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું. તેમજ મુકેશ અંબાણીએ મેસુબનો અને ભજીયાનો સ્વાદ માણ્યો હતો. અંબાણી પરિવારનો અસ્સલ ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો.લોકોને પીરસ્તા પીરસ્તા મુકેશ અંબાણીએ લોકોને કહ્યું હતું કે, રાધિકા અને અનંતને આશીર્વાદ આપજો. ભજીયાનો ટેસ્ટ કરતા કરતા કહ્યું હતું કે, આ તો અંબાણીના ભજીયા છે અને મને ભજીયા બહુ ભાવે છે. જેથી ગામ લોકોએ તેમને ભજીયા ટેસ્ટ કરાવ્યા હતા.

Next Story